Latest

Saturday, April 25, 2020

અ’વાદ: લોકડાઉન તોડીને શાક-દૂધ લેવા નીકળે છે દંપતીઓ, પકડાય તો આપે છે આવા બહાના

અમદાવાદ: કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ લોકડાઉનનો કડક અમલ થાય તે સુનિશ્ચિત કરી રહી છે. તેમ છતાં કેટલાંય લોકો લોકડાઉનના લીરેલીરા ઉડાવીને બહાર નીકળી પડે છે. વસ્ત્રાપુર પોલીસે શુક્રવારે બોડકદેવના રહેવાસી સામે લોકડાઉનનો ભંગ કરવા બદલ ગુનો નોંધ્યો છે. શખ્સ પત્નીને સ્કૂટર પર બેસાડીને શાકભાજી ખરીદવા નીકળતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

વસ્ત્રાપુર પોલીસે દાખલ કરેલી FIR મુજબ, પોલીસ સુભાષ ચોક પાસે લોકડાઉનનું પાલન કરાવી રહી હતી, ત્યારે જ અર્પણ ગાંધી પત્નીને સ્કૂટર પર પાછળ બેસાડી ત્યાંથી પસાર થયો હતો. પોલીસે તેમને રોક્યા અને પૂછ્યું કે બંને સ્કૂટર પર કેમ નીકળ્યા છે? જવાબમાં અર્પણ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ શાકભાજી ખરીદવા જાય છે.

વસ્ત્રાપુર પોલીસના ઈન્સ્પેક્ટર એમ. એમ. જાડેજાએ કહ્યું, “શાકભાજી લેવા બે વ્યક્તિઓને જવું પડે, તેમનું આ કારણ અમને પચ્યું નહીં. માટે, અમે અર્પણ ગાંધી સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.” ઈન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યું કે, આ જ પ્રકારે શુક્રવારે એક દંપતી દૂધની બનાવટો ખરીદવા બહાર નીકળ્યું હતું.

ઈન્સ્પેક્ટર જાડેજાએ કહ્યું, “જ્યારે પોલીસે તેમને રોક્યા તો મહિલાએ કહ્યું કે, તેના પતિને અમુક મિલ્ક પ્રોડક્ટ્સ વચ્ચેનું અંતર સમજાતું નથી. માટે જ તે પતિ સાથે ખરીદી કરવા આવી હતી. લોકો આ પ્રકારે દૂધ અને શાકભાજી લેવાના બહાને ફરવા નીકળી પડે છે. ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં પતિ-પત્ની બંને કોઈ વસ્તુ ખરીદવા નીકળ્યા હોય. લોકોએ આ પ્રકારે લોકડાઉનનો ભંગ ના કરવો જોઈએ.”

ચોમાસામાં ફરી ત્રાટકી શકે છે કોરોના, જુલાઈ-ઓગસ્ટમાં બીજો રાઉન્ડ શરુ થવાની શક્યતા



from Page Array – I Am Gujarat https://ift.tt/351swZl

No comments:

Post a Comment

Pages