Latest

Wednesday, April 15, 2020

અ’વાદ: ગીચ વસ્તીવાળું દરિયાપુર COVID-19 જ નહીં 1918ના સ્પેનિશ ફ્લૂનું પણ હતું હોટસ્પોટ

સઈદ ખાન, અમદાવાદ: યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરેલા અમદાવાદના પ્રશંસક મુઘલ શાસક હુમાયુ પણ હતા. લગભગ પાંચ સદીઓ પહેલા તેમણે પોતાની સેનાને અમદાવાદને નષ્ટ ન કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, હુમાયુની આંખમાં વસી ગયેલું આ શહેર ઘણી વખત રોગ અને મોતની જાળ તરીકે સામે આવ્યું છે. હાલ અમદાવાદના કોટ વિસ્તારમાં ગીચ વસ્તી ધરાવતું દરિયાપુર કોરોના વાયરસનું હોટસ્પોટ બન્યું છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ જીવલેણ રોગે આ વિસ્તારમાં હાહાકાર સર્જ્યો હોય. અગાઉ 1918માં ફાટી નીકળેલા જીવલેણ સ્પેનિશ ફ્લૂએ પણ દરિયાપુરમાં મજબૂત પકડ બનાવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હાલ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 375 કેસ છે જેમાંથી 75 દરિયાપુરના છે. આવી જ સ્થિતિ 102 વર્ષ પહેલા ભારતના 1.7 કરોડ લોકોનો જીવ લેનારો સ્પેનિશ ફ્લૂ વખતે પણ હતી. એ વખતે અમદાવાદમાં 6 મહિનાની અંદર સ્પેનિશ ફ્લૂના કારણે 3,527 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમદાવાદના ઘણા વિસ્તારો પૈકી ઈતિહાસકારોનું ધ્યાન દરિયાપુરે ખેંચ્યું હતું. ‘ધ સ્પેનિશ ઈન્ફ્લૂએન્ઝા પૅન્ડેમિક ઓફ 1918-1919: ન્યૂ પર્સ્પેક્ટિવ્ઝ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે, “એપિડેમિક મુખ્યત્વે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જીવલેણ હતો, જેવા કે દરિયાપુર….”

જો કે, ઈતિહાસમાં આવી કેટલીય મુશ્કેલીઓને દરિયાપુરે હરાવી છે અને અહીંની વસ્તી ગીચતા જળવાઈ રહી છે. અમદાવાદના 0.79 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું દરિયાપુર કોવિડ-19નું હોટસ્પોટ છે અને અત્યાર સુધી 75 કેસ નોંધાયા છે. 2015ના AMCના પ્રોપર્ટી ટેક્સ પ્રમાણે, દરિયાપુરની વસ્તી 63,644 છે અને 13,170 મકાનો આવેલા છે.

શહેરના કોરોના વાયરસના કુલ કેસોમાંથી દરિયાપુર અને જમાલપુરના મળીને 122 કેસ થાય છે. દરિયાપુરના અર્બન હેલ્થ સેન્ટરના અધિકારીઓનો દાવો છે કે, નજીક નજીક આવેલા મકાનો અને ગીચ વિસ્તાર સામાજિક અંતર મુશ્કેલ બનાવે છે. એક આરોગ્ય અધિકારીએ કહ્યું, “દરિયાપુર, કાલુપુર, ખાડિયા અને જમાલપુર જેવા વિસ્તારોની ઘણી ગલીઓ સવારના કલાકોમાં વેચાણનું અનૌપચારિક સ્થળ બની જાય છે.”

અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં 21 એપ્રિલ સુધી કર્ફ્યુ લાગુ



from Page Array – I Am Gujarat https://ift.tt/3b9CMkh

No comments:

Post a Comment

Pages