Latest

Thursday, June 25, 2020

સુરતઃ જાણીતી ડાયમંડ કંપનીએ નોટિસ વગર જ 100 રત્નકલાકારોને છૂટા કરી દીધા

સુરતઃ ડાયમંડ સિટીમાં એકબાજુ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ એક જાણીતી હીરા કંપનીએ અચાનક 100 રત્નકલાકારોને છૂટા કરી દેવાની ઘટના સામે આવી છે. ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન (GDWU)એ દાવો કર્યો છે કે એક અગ્રણ્ય કંપનીએ બુધવારે મંદીના નામે 100 કારીગરોને છૂટી કરી દીધા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

GDWUના પદાધિકારીઓએ જિલ્લા કલેક્ટરને આ મામલે દખલ આપવા માટે આવેદન કર્યું હતું. તેમણે માગણી કરી હતી કે, રત્નકલાકારોને ત્રણ મહિનાનો પગાર, લોકડાઉનનો પગાર અને પ્રોવિડન્ટ ફન્ડ તથા ગ્રેજ્યુઈટી જેવા અન્ય લાભ મળવા જોઈએ.

GDWU મુજબ, વરાછામાં આવેલી જાણીતી હીરા કંપની કે. ગિરધરલાલે નોટિસ આપ્યા વિના જ બુધવારે 100 રત્નકલાકારોને છૂટા કરી દીધા. રાજ્ય સરકારની આ મામલે ગાઈડલાઈન હોવા છતાં કામદારોને લોકડાઉન દરમિયાન કોઈ પગાર આપવામાં આવ્યો નહોતો.

GDWUના વાઈસ પ્રેસિડેન્ટ ભાવેશ ટંકે TOIને કહ્યું, રત્નકલાકારો છેલ્લા અઢી મહિનાથી નોકરી વગર ના હતા. જ્યારે કંપની ફરીથી ખુલી તો તેમને કોઈ નોટિસ વિના જ છૂટા કરી દેવામાં આવ્યા. ટંક કહે છે, શહેરમાં 30 ટકા ડાયમંડ યુનિટ્સ 50 ટકા સ્ટાફ સાથે ફરીથી શરૂ થયા છે. જે રત્નકલાકારોએ નોકરી ગુમાવી છે તેમને આગામી થોડા મહિનાઓ સુધી ઈન્ડસ્ટ્રીમાં નોકરી મળવાની નથી.

GDWUના પ્રેસિડેન્ટ રમેશ જિલારિયાએ કહ્યું, ‘જો કંપનીના માલિક રત્નકલાકારોને રાખવા ન માગે તો તેમણે લેબર લો મુજબ તમામ રત્નકલાકારોને મળવાપાત્ર લાભ મળે તે ખાતરી કરવી જોઈએ.’ જોકે આ મામલે કંપનીના માલિક કોઈ પ્રતિક્રિયા આપવા ઉપલબ્ધ નહોતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/2BBZipi

No comments:

Post a Comment

Pages