Latest

Sunday, June 28, 2020

પશ્ચિમ અમદાવાદમાં કોરોના મહામારી અંકુશમાં આવી રહી નથી, નવા 121 કેસ નોંધાયા

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે પણ અમદાવાદમાં તેની અસર ઘટી રહી છે. અમદાવાદના શહેરના તમામ વિસ્તારોમાં કેસ મળી રહ્યા છે પરંતુ પશ્ચિમ ભાગમાં આ મહામારી અકુંશમાં આવવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે સાંજે અમદાવાદમાં નોંધાયેલા 205 કેસમાંથી, પશ્ચિમ ભાગમાં 121 કેસ એટલે કે કુલના 59% કેસ નોંધાયા છે. આમ અમદાવાદનો પશ્ચિમ ભાગ કોવિડ ઈન્ફેક્શનનું મુખ્ય સ્થળ તરીકે અગ્રેસર રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન હળવું થતાં શહેરના પશ્ચિમ ભાગમાં કેસો નોંધાઈ રહ્યા છે.

શુક્રવારે પશ્ચિમ ઝોનમાં 121 કેસ અને 7 લોકોના મોત નોંધાયા છે. જેમાં 62 કેસ અને 4 મૃત્યુ પશ્ચિમ ઝોનમાં થયા છે, જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ, નારણપુરા, નવરંગપુરા, રાણિપ, પાલડી અને વાસણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 38 કેસ અને એક મોત ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને ગોતામાંથી સામે આવ્યા છે. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના નવા 21 કેસ અને 3 લોકોના મોત થયા છે, જેમાં જોધપુર, વેજલપુર, મકતમપુરા અને સરખેજ સામેલ છે.

એટલું જ નહીં, ગુરુવારે શહેરમાં નોંધાયેલા 205માંથી 106 કેસ પશ્ચિમ ભાગમાં નોંધાયા હતા. નવા નોંધાયેલા 106 કેસમાંથી, વેસ્ટ ઝોનમાં 48 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 27 કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 કેસ સામે આવ્યા હતા. શુક્રવાર સુધી છેલ્લા 48 કલાકમાં શહેરમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે તેમાંથી પાંચ મોત પશ્ચિમ ભાગમાં નોંધાયા છે.

શનિવાર સવાર સુધીના આંકડા મુજબ શહેરમાં કુલ 2,933 સક્રિય કેસ છે, જેમાંથી 1,410 પશ્ચિમ ભાગના છે. આ 1,410 કેસમાંથી, પશ્ચિમ ઝોનના 596 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 453 કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના 402 કેસ છે. અન્ય ઝોનની વાત કરીએ તો મધ્યઝોનમાં 208 કેસ, ઉત્તર ઝોનમાં 453 કેસ, પૂર્વ ઝોનમાં 397 કેસ અને દક્ષિણ ઝોનમાં કોરોનાના 465 એક્ટિવ કેસ છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/31AlEm7

No comments:

Post a Comment

Pages