Latest

Saturday, June 27, 2020

ભારતમાં ચોમાસું સામાન્ય તારીખથી 12 દિવસ વહેલું બેસી ગયું: હવામાન વિભાગ

નેહા મડાન, અમિત ભટ્ટાચાર્ય, વિશ્વા મોહન: આ વર્ષે નૈઋત્યનાં ચોમાસાનું ધારણા કરતાં 12 દિવસ વહેલું આખા દેશમાં છવાઈ ગયું છે તેવું હવામાન ખાતાએ જણાવ્યું હતું. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં સક્રિય બનતું હોય છે. વર્ષ 2015માં પણ આ જ તારીખે દેશમાં ચોમાસું વિધિવત રીતે શરૂ થયું હતું. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગુરુવારે એક જ દિવસમાં વીજળી પડવાને કારણે 100થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગામી 4-5 દિવસમાં બંને રાજ્યો અને ઝારખંડમાં વીજળી સાથે અતિભારે વરસાદની આગાહી કરી હતી. આ ઉપરાંત બિહારમાં પણ સોમવાર સુધી ભારે વરસાદની આગાહી છે.

તાજેતરના ભૂતકાળમાં, સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આવી પ્રારંભિક કવરેજ 2013માં કરવામાં આવી હતી, જ્યારે 16 જૂનના રોજ ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોને આવરી લીધો હતો. જે 15મી જુલાઈની સામાન્ય તારીખથી લગભગ એક મહિના પહેલાં દેશમાં ચોમાસું બેસી ગયું હતું. વર્ષ 2013માં આકસ્મિક રીતે ભારે વરસાદ, વાદળ વિસ્ફોટ અને 16-17 જૂનના રોજ ઉત્તરાખંડમાં ભારે પૂર જોવા મળ્યો હતો, જેના કારણે મોટા પાયે વિનાશ થયો હતો અને કેટલાય લોકોના મોત પણ થયા હતા. જોકે, આ વર્ષે હિમાલય ક્ષેત્ર માટે હજી સુધી આવી કોઈ આગાહી નથી.

હવામાન ખાતાના વડા મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે, બંગાળના અખાતમાં હવાનાં હળવા દબાણે પશ્ચિમ-ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતા મધ્ય ભારત પર ચોમાસું વહેલું સક્રિય થયું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા નિસર્ગને કારણે દેશના અન્ય ભાગોમાં ચોમાસું શરૂ થવામાં વિલંબ થશે તેવી ધારણા ખોટી પડી હતી. સામાન્ય રીતે 8 જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશમાં સક્રિય બનતું હોય છે. મોહપાત્રાએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગના 36માથી 31 સબ ડિવિઝનમાં જૂન દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડતાં અત્યાર સુધીનો વરસાદ તદ્દન સારો રહ્યો છે. જે ખેડુતો માટે એકદમ ફાયદાકારક છે.

પાછલા કેટલાક દિવસોમાં ભારે વરસાદથી બિહાર, આસામ અને અન્ય પૂર્વી-પૂર્વી રાજ્યોને પૂરનું જોખમ છે. ગયા વર્ષે વીજળી અને વાવાઝોડાં દ્વારા દેશભરમાં 380 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તેમાંથી ઝારખંડમાં સૌથી વધુ 125 જ્યારે બિહારમાં 73 લોકોની જાનહાનિ થઈ હતી. હકીકતમાં, વર્ષ 2019માં ભારે વરસાદ અને પૂરને કારણે બિહારમાં સૌથી વધુ માનવ જાનહાનિની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે ચોમાસા પૂર્વે, ચોમાસા દરમિયાન અને મોનસુન પછીની સીઝન દરમિયાન પૂરમાં દેશમાં 850 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં સૌથી વધુ બિહારમાં 306, મહારાષ્ટ્રમાં 136, ઉત્તરપ્રદેશમાં 107 અને કેરળમાં 88 લોકોના મોત નીપજ્યા હતા.



from Page Array – I Am Gujarat https://ift.tt/31n6v7A

No comments:

Post a Comment

Pages