Latest

Monday, June 8, 2020

અમદાવાદમાં આજથી ધર્મ સ્થળ, મૉલ્સ, રેસ્ટોરાં ખુલવા માટે તૈયાર, AMCની ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં આજથી ધાર્મિક સ્થળો, મૉલ્સ અને હોટલ્સ ખુલવા માટે તૈયાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, ઓફિસ, મૉલ્સ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટસ સવારે 8થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેવા દેવામાં આવશે. જો કે, આ તમામ સ્થળો કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ વિસ્તારની બહાર હોવા જોઈએ.

વન અને પર્યાવરણના ACS અને હાલમાં અમદાવાદમાં કોવિડ-19ના ઈન્ચાર્જ રાજીવ ગુપ્તાએ રવિવારે એક મિટીંગ યોજી હતી. મિટીંગ બાદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં મૉલ્સ, ઓફિસ, ધાર્મિક સ્થળોને મંજૂરી આપવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સ મુજબ લેવામાં આવ્યો છે. જેથી આજથી તમામ સ્થળોએ આ ગાઈડલાઈન્સનું કડકાઈપૂર્વક પાલન કરવું રહેશે.

AMCના અધિકારીઓએ કહ્યું કે, તમામ સ્થળોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડરને અનુસરવાની રહેશે. હોટલો અને ગેસ્ટહાઉસને ચોવીસ કલાક ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, તેઓએ રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુ હોવાથી તેઓએ કર્ફ્યુની માર્ગદર્શિકાને પણ અનુસરવાની રહેશે. રેસ્ટોરન્ટસ સવારે 8થી સાંજના 7 સુધીજ ખુલ્લા રહી શકે છે.

એએમસીએ જણાવ્યું છે કે, ધાર્મિક સ્થળોને સવારે 5થી સાંજના 7 સુધી ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવશે. વૃદ્ધો, બાળકો અને સંવેદનશીલ વ્યક્તિઓને સલાહ આપવામાં આવે છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી આ સ્થાનોની મુલાકાત ન લેવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાના નિયમોનું કડક રીતે પાલન કરવું ફરજિયાત રહેશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Yq1iJ5

No comments:

Post a Comment

Pages