Latest

Friday, June 26, 2020

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ પાકા કામના કેદી રમેશ ઠાકોરે અગમ્ય કારણોસર કાપડના બે સ્ટોર નજીક ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ સેન્ટ્રલ જેલમાં કેદીના આપઘાતના બનાવો બન્યા છે.

આપઘાતનું સાચું કારણ સામે આવ્યું નથી
રાણીપ પોલીસ સ્ટેશનના ASI દશરથભાઈએ iamgujarat.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રમેશભાઈ ઠાકોર (47) ગઈકાલે રાત્રે 11.50 વાગ્યાની આસપાસ કાપડના બે સ્ટોર વચ્ચે પીપળાના ઝાડ પર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી. જોકે, પોસ્ટમોર્ટમની રિપોર્ટ બાદ વધુ હકીકત સામે આવી શકે છે.

અગાઉ પણ બન્યો હતો આપઘાતનો બનાવ
વર્ષની શરૂઆતમાં જ અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક મોહમ્મદ શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણ કાચા કામને કેદી હતો. જે હત્યાનાં આરોપમાં જેલમાં હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું હતું. મોહમ્મદે પોતાની ખોલીના દરવાજા પર કપડું બાંધીને આપઘાત કર્યો હતો. જોકે, બીજી તરફ મૃતકના પરિવારે તેનાં પુત્રની હત્યા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેમનો પુત્ર ક્યારેય આપઘાત ન કરી શકે.



from Page Array – I Am Gujarat https://ift.tt/386IBOL

No comments:

Post a Comment

Pages