પ્રશાંત રુપેરા, વડોદરાઃ કોરોના પોઝિટિવ દર્દી ઉપર પ્લાઝમા થેરાપી દ્વારા સાજા કરવાનું રિસર્ચ ગોત્રી હોસ્પિટલ અને ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત સફળતા મળી છે અને વડોદરાના કોરોના પોઝિટિવ દર્દી અશ્વિન રાણાને પ્લાઝમા થેરાપીથી સાજા કરવામાં આવ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ગોત્રી હોસ્પિટલના ડીન વર્ષાબેન ગોડબોલે અને ઇન્દુ બ્લડ બેંકના વિજય શાહએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોત્રી હોસ્પિટલને પ્લાઝમા થેરાપી અંગે રિસર્ચ કરવાની મંજૂરી આપી હતી. જેમાં ઇન્દુ બ્લડ બેંકમાં કોરોના વાયરસથી અસર થયા બાદ સાજા થયેલા દર્દીઓના લોહીમાંથી એન્ટીબોડીને લેવામાં આવી અને કોરોના ગ્રસ્ત દર્દીને ટ્રાન્સફ્યુઝન કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.
સ્વસ્થ હોય એવી વ્યક્તિના લોહીમાંથી એન્ટીબોડી પ્લાઝમા મેળવી લેવામાં આવે છે. આ અંગેનો પ્રયોગ અને તેનું રિસર્ચ તાજેતરમાં કરવામાં આવ્યું હતું તેમાં સફળતા મળી છે. ગોત્રી હોસ્પિટલમાં ગત તારીખ 11મી મેના રોજ અશ્વિન રાણા નામના કોરોના પોઝિટિવ આવેલા દર્દીની સારવાર ચાલી રહી હતી ત્યારે વડોદરા ગોત્રી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવની સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલા હોય તેવા દર્દી વિપુલ પટેલના લોહીમાંથી એન્ટીબોડી પ્લાઝમા લેવામાં આવ્યા હતા અને અશ્વિન રાણાની બોડીમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અશ્વિન રાણા પર પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેઓને સારી રીતે સ્વસ્થ કરવામાં ગોત્રી હોસ્પિટલ સફળતા મળી છે. ગોત્રી હોસ્પિટલના ડોક્ટર વર્ષાબેન ગોડબોલે અને ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું કે કોરોનાની હજી કોઈ રસી શોધી શકાયું નથી પરંતુ કોરોના પોઝિટિવ આવ્યા હોય તેવા દર્દી પર પ્લાઝમા થેરાપી દ્વારા સારવાર આપી સ્વસ્થ બનાવવામાં જે પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો તેમાં સફળતા મળી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eF29MB
No comments:
Post a Comment