સરકારે આપી છૂટછાટ

કોરોના વાયરસના કારણે દેશ છેલ્લા 2 મહિનાથી લોકડાઉન હતો. આ દરમિયાન બોલિવુડ સેલેબ્સ પોતાના ઘરમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા હતા. તો, કેટલાક લોકો લોકડાઉનના કારણે પોતાના પરિવાર અને નજીકના લોકોને મળી શક્યા નહોતો. જો કે, સરકારે હવે અનલોક 1.0માં થોડી છૂટછાટ આપી છે ત્યારે લોકો ઘર બહાર નીકળી રહ્યા છે અને પોતાના પ્રિયજનોની મુલાકાત લઈ રહ્યા છે.
બાળકોને મળવા પહોંચ્યા સલીમ ખાન

સલમાન ખાનની વાત કરીએ તો તે, લોકડાઉન થયું ત્યારથી પોતાની બંને બહેન અર્પિતા અને અલવિરા સાથે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં રહે છે. જ્યારે તેના પિતા સલીમ ખાન મુંબઈ સ્થિત બંગ્લોમાં. સરકારે જેવી થોડી છૂટ આપી કે તેઓ તરત જ પોતાના બાળકોને મળવા પહોંચી ગયા.
નાના ખોળામાં જોવા મળી આયત

અર્પિતા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેની દીકરી આયત નાના સલીમ ખાનના ખોળામાં જોવા મળી રહી છે. નાના સલીમના ખોળામાં બેસેલી આયત ખૂબ ક્યૂટ લાગી રહી છે. આ તસવીરની સાથે તેણે લખ્યું છે કે, ‘નાના અને આયત. અમને નાના ઘરનું લંચ યાદ આવી રહ્યું છે’.
મામાના બર્થ ડે પર આયતનો જન્મ

આપને જણાવી દઈએ કે, 2019માં સલમાન ખાનના બર્થ જે પર આયતનો જન્મ થયો હતો. આયુષ શર્મા અને અર્પિતાને પહેલાથી એક દીકરો આહિલ પણ છે. કપલ અવારનવાર પોતાના બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતું રહે છે.
વર્કફ્રંટની વાત કરીએ તો…

વર્કફ્રંટની વાત કરીએ તો, આયુષ શર્માએ ફિલ્મ ‘લવયાત્રી’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યૂસ કરી હતી. હવે આયુષ ફિલ્મ ‘ક્વાથા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના બહેન ઈસાબેલ કૈફ જોવા મળશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3h6vLnF
No comments:
Post a Comment