Latest

Thursday, June 18, 2020

‘પવિત્ર રિશ્તા’માં ‘ભિખારી’નો રોલ પ્લે કરનાર એક્ટરને સુશાંતે આપી હતી આ સલાહ, આજે તે…

સુશાંત સિંહ રાજપૂતના નિધનના આઘાતમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી. હવે, એક્ટર આદિલ ખાને સુશાંત સાથેની સ્વીટ મેમરી શેર કરી છે. આદિલ ખાને સીરિયલ ‘પવિત્ર રિશ્તા’માં ‘ભિક્ષુક’નો રોલ પ્લે કર્યો હતો, જેમાં સુશાંત લીડ રોલમાં હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

 

View this post on Instagram

 

🤍

A post shared by Adil Khan (@adilkhan.official) on

આદિલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ સીરિયલમાં તેણે કામ કર્યું તે સમયે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. શોમાં તેનો થોડા મિનિટનો સીન હતો, પરંતુ તે તેના માટેની લાઈફટાઈમ મેમરી બની ગઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, પેક-અપ બાદ તે સુશાંત સાથે ફોટો પડાવવા ગયો હતો, તે સમયે એક્ટરે તરત હા પાડી હતી અને સાથે જ જીવનનો મોટો પાઠ પણ આપ્યો હતો.

આદિલે લખ્યું છે કે, ‘મેં પવિત્ર રિશ્તામાં ભિક્ષુકનો રોલ પ્લે કર્યો હતો. આ 11 વર્ષ પહેલાની વાત છે, જ્યારે મને જાણ થઈ કે મારે એક્ટર બનવું છે. હું શાહરુખ ખાનને જોઈને મોટો થયો છું. એક દિવસ મને પવિત્ર રિશ્તાના એપિસોડ માટે ફોન આવ્યો. હું ખૂબ જ ઉત્સાહિત હતો અને શૂટિંગની આગળની રાત્રે ઊંઘી શક્યો નહી. મારે 8 વાગ્યે ત્યાં પહોંચવાનું હતું અને હું 6 વાગ્યે પહોંચી ગયો. મેં તેમને જોયા. તેઓ પોતાની વેનિટી વાનમાંથી બહાર આવી રહ્યા હતા. તેઓ સીરિયલના લીડ એક્ટર હતા. પરંતુ તેમને જોઈને એવું જ લાગી રહ્યું હતું કે તેમનો પણ આજે પહેલો દિવસ છે’.

‘હું તેમની પાસે ફોટો પડાવવા માટે ગયો અને કહ્યું કે, હું પણ આ સીનમાં તમારી સાથે છું. જે બાદ તેઓ હસ્યા અને બાદમાં અમે રિહર્સલ કર્યું. બાદમાં સીનનું શૂટિંગ થયું. પછી બ્રેક પડ્યો. બાદમાં ફરીથી સીન. પેક-અપ થયું કે તરત જ હું તેમની સાથે ફોટો ક્લિક કરાવવા માટે દોડ્યો. તેમણે તરત જ હા પાડી. તે ક્ષણ મારા જીવનની સૌથી બેસ્ટ ક્ષણમાંથી એક છે. તેમણે મને કહ્યું કે, એક્ટિંગમાં કરિયર બનાવવાના ચક્કરમાં તું ભણવાનું ન છોડતો. તે બાદથી ફરીથી હું ક્યારે તેમની સાથે કામ કરીશ તેના સપના જોવા લાગ્યો. હું તેમને કહેવા માગતો હતો કે, મેં તમારી સલાહ માની અને જુઓ આજે મારૂં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું થઈ ગયું. મારા પરિવારમાં હું સૌથી વધારે ભણેલો વ્યક્તિ છું. તેઓ મને સતત પ્રેરણા આપતા રહ્યા. તેઓ આ દુનિયામાં નથી તેવું હું સ્વીકારી શકતો નથી. આવી વ્યક્તિ આમ અચાનક દુનિયા છોડી દે તેમ કેમ બને’.



from Page Array – I Am Gujarat https://ift.tt/30UwrHg

No comments:

Post a Comment

Pages