નિમેષ ખાખરિયા, રાજકોટ: કેટલાક ભેજાબાજોએ અમરેલી શહેરની અડધાથી વધારે જમીન પર કબ્જો જમાવવા માટે દેશની આઝાદીના મુખ્ય લડવૈયાઓ પૈકી એક એવા સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ અને આંબેડકરના નકલી હસ્તાક્ષર સાથે ખોટા કાગળીયા ઉભા કરીને સમગ્ર જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. આ માટે તેમણે આ દસ્તાવેજો પણ એવી રીતે તૈયાર કર્યા હતા કે જેથી તે એન્ટિક લાગે. જોકે આ ઠગબાજો પાતાના કાવતરામાં ફાવે તે પહેલા જ તેમનો ભાંડો ફૂટી ગયો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ તમામ ઠગબાજો સીનિયર સિટિઝન છે. જે પૈકી બે વ્યક્તિની પોલીસ ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સુત્રધાર વાલી મેટર(72) વાપીનો રહેવાસી છે. જેમણે પોતાના મિત્રો યુસુફ મોટિવાલા અને વિનોદ ભાડ સાથે મળીને આ કારસો રચ્યો હતો. જોકે 8 મહિના સુધી આ અંગે તપાસ કરીને અમરેલી કલેક્ટર, એસપી અને ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ, ગાંધીનગરની ટીમે સમગ્ર કૌભાંડ પકડી પાડ્યું હતું.
અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે કહ્યું કે, ‘તેમણે આ દસ્તાવેજ તમામ પ્રકારે ગાયકવાડ રાજાશાહી સમયના લાગે તે માટે તમામ તકેદારી લીધી હતી. આ ડોક્યુમેન્ટ મુજબ અમરેલીની 45 ટકા જમીન પર મીટરના દાદીનો હક્ક બને છે. દસ્તાવેજ મુજબ ગાયકવાડશાહીમાં તેઓને અહીંના એડમિનિસ્ટ્રેટર બનાવીને આ જમીન ભેટમાં આપવામાં આવી હતી.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2BGW8k5
No comments:
Post a Comment