Latest

Monday, June 29, 2020

બુધવારે દેવપોઢી અગિયારસ: ચાતુર્માસનો થશે પ્રારંભ, નહીં કરી શકાય માંગલિક કાર્યો

બુધવારે 1 જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ ભક્તિકાર્યોનો આરંભ થશે અને લગ્ન જેવા માંગલિક કાર્યો કરી શકાશે નહીં. આ વર્ષે અધિક આસો માસ હોવાથી ચાતુર્માસ એક મહિનો વધુ ચાલશે. દિવાળી 14મી નવેમ્બરે આવશે, વચ્ચે એક દિવસનો ધોકો અને 16મી નવેમ્બરે હિંદુઓનું નવું વર્ષ એટલે કે બેસતું વર્ષ છે. આ વર્ષે નૂતન વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પહેલી જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હિંદુ સંન્યાસીઓ તો ચાતુર્માસનો પ્રારંભ અષાઢી પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમાથી જ કરશે. આ વર્ષે અધિક આસો માસ હોવાથી ચાતુર્માસ પાંચ મહિનાનો રહેશે. પુરુષોત્તમ માસનો પ્રારંભ 18 સપ્ટેમ્બરથી થવાનો છે. આ વખતે દિવાળી પર શનૈશ્વરી અમાસનો સંયોગ છે. બીજા દિવસે ધોકો (એક જ તિથિ બેવાર આવવી) આવે છે. આ વખતે બેસતું વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે હોવાથી પેઢી ખોલવાનું, કાંટાપૂજનનું શુદ્ધ મુહૂર્ત 19મી નવેમ્બરે છે. નવા વર્ષે મુહૂર્ત ના હોવાથી વેપાર-ધંધા લાભ પાંચમથી જ શરૂ થશે.

સામાન્ય રીતે હિંદુ ચાતુર્માસમાં ધર્મકાર્યો અને ભક્તિ કાર્યો થતાં હોય છે. હિંદુ ચાતુર્માસની પૂર્ણાહુતિ 26 નવેમ્બર 2020ના રોજ દેવપ્રબોધિની એકાદશીએ થશે. જો કે, આ વર્ષે કોરોના મહામારીના પગલે શ્રદ્ધાળુઓ ઘરમાં જ બેસીને ચાતુર્માસ દરમિયાન પૂજાપાઠ કરશે. ચાતુર્માસ દરમિયાન ભગવાનની કથા સાંભળવી-વાંચવી, ભગવાનની વિશિષ્ટ પૂજા કરવી, સ્ત્રોત કરવા, મંત્રોના જાપ કરવા જોઈએ.

આગામી મહિનાઓમાં આવી રહેલા તહેવારો વિશે પણ જાણી લો.
– 1 જુલાઈએ ગૌરી વ્રતનો પ્રારંભ, દેવપોઢી એકાદશી
-3 જુલાઈએ જયાપાર્વતી વ્રતનો પ્રારંભ
-4 જુલાઈએ વ્રતની પૂનમ
-5 જુલાઈએ ગુરુપૂર્ણિમા, ચંદ્રગ્રહણ
– 7 જુલાઈએ જયાપાર્વતી વ્રત પૂર્ણ
– 20 જુલાઈએ દિવાસો
-21 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ
-3 ઓગસ્ટે રક્ષાબંધન
-12 ઓગસ્ટે જન્માષ્ટમી



from Page Array – I Am Gujarat https://ift.tt/2Zhlj4X

No comments:

Post a Comment

Pages