રાજકોટ/વડોદરા/સુરતઃ લદ્દાખની ગલવાન ખીણમાં 15 જૂને ચીન સાથે થયેલા અથડામણમાં આપણા 20 જવાનો શહીદ થયા હતા. જેના કારણે સમગ્ર દેશવાસીઓમાં ચીન પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતને લઈને ગુરુવારે સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ પ્રોડક્ટને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સ્ટુડન્ટ યુનિયનથી લઈને વેપારીઓ અને સેનામાં કામ કરી ચૂકેલા જવાનો પણ રાજકોટ, સુરત અને વડોદરામાં થયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા અને ‘મેડ ઈન ચાઈના’ પ્રોડક્ટનો બોયકોટ કરવાની માગણી કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
રાજકોટમાં રહેતા બિઝનેસમેન મયુરધ્વજસિંહ ઝાલાએ એમજી હેક્ટર કારનો ઓર્ડર કેન્સલ કર્યો હતો અને લેખિતમાં જણાવ્યું હતું કે તેઓ હવે આ કાર ખરીદવા માગતા નથી કારણ કે એમજી હેક્ટર ઈન્ડિયા, ચાઈનીઝ શાંઘાઈ ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન (SAIC)ની પેટાકંપની છે.
ગુજરાત સ્ટેટ પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ ઝાલાએ જુલાઈ 2019માં 51000 રૂપિયા ભરીને શોરૂમમાંથી કાર બૂક કરાવી હતી. થોડા દિવસ પછી તેમને કાર લઈ જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ‘હું કોઈ એવો બિઝનેસ નથી કરવા નથી માગતો કે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરવા નથી માગતો જેની સીધી કે આડકતરી રીતે ચીન સાથે લિંક છે’.
નિઝામપુરા ચાઈનીઝ ઈટરી ચલાવતા પંકજ બ્રહ્મભટ્ટ પણ જવાનો શહીદ થતાં નિરાશ થઈ ગયા હતા અને તેમણે પોતાના ફૂડ-કાર્ટનું નામ બુધવારે બદલીને સાંઈનીઝ ફૂડ રાખ્યું હતું, જે પહેલા સાંઈ ચાઈનીઝ ફૂડ હતું. વડોદરાના મંગલ બજારના વેપારીઓએ ફોન, ઈલેક્ટ્રોનિક્સ અને કપડા સહિતની ચાઈનીઝ પ્રોડક્ટને સળગાવી દીધી હતી. ‘અમે અત્યારે જ ચાઈનીઝ પ્રોડક્ટ વેચવાનું બંધ કરી દીધું છે અને ભારતીય પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું છે’, તેમ મંગલ બજાર વેપારી મહાજન મંડળના પ્રમુખ જય ઠાકોરે જણાવ્યું.
ABVPએ શહીદો માટે પ્રાર્થના સભા યોજી હતી તો NSUI અને યુથ કોંગ્રેસે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે ચીનના રાષ્ટ્રપતિના પોસ્ટર્સ સળગાવ્યા હતા અને ચીન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરતમાં, સેનામાં કામ કરી ચૂકેલા જવાનાઓ ગોપીપુરામાં આવેલા આર્ય સમાજ ભવનમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ ચાઈનીઝ મોબાઈલ અને ચીનના રાષ્ટ્રપતિના પોસ્ટર્સ સળગાવ્યા હતા.
‘અમે ચીનની પ્રોડક્ટનો વપરાશ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે ચાઈનીઝ પ્રોડક્ટનો બોયકોટ કરવા માટે લોકોમાં પણ જાગૃકતા ફેલાવીશું’, તેમ પૂર્વ સૈનિક સેવા પરિષદના પ્રમુખ મનમોહન શર્માએ કહ્યું.
વડોદરાના પંચરત્ન ગાર્ડન એપાર્ટમેન્ટના કેટલાક રહીશોએ ચીન-મેડ ટીવી તોડી નાખ્યા હતા તો કેટલાકે વિરોધમાં એપાર્ટમેન્ટના ચોથા માળેથી ટીવી ફેંકીને રોષ વ્યક્ત કર્યો હતો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2UTWcDK
No comments:
Post a Comment