Latest

Monday, June 29, 2020

ભારે હૈયે સુશાંતના પિતાને મળવા પહોંચી આ એક્ટ્રેસ, કહ્યું ‘તેમને હિંમત આપવા ગઈ હતી પણ…’

‘અગલે જનમ મોહે બિટિયા હી કિજો’ એક્ટ્રેસ રતન રાજપૂત સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઉદાસ થઈ ગઈ છે, આખરે ભારેહૈયે તે તેના પરિવારને મળવા પહોંચી હતી. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લાંબો વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે, તે પટનામાં સુશાંતના પિતાને મળવા ગઈ હતી. તેણે તેમ પણ જણાવ્યું કે, સુશાંતના પિતાએ તેને દિલાસો આપ્યો હતો અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવાનું જણાવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

વીડિયોમાં રતન કહી રહી છે કે, ‘હું જ્યારે સુશાંતના ઘરે તેના પિતાને મળવા પહોંચી તો ખૂબ ગભરામણ થઈ રહી હતી, વિચારી રહી હતી કે તેમની સાથે શું વાત કરીશ. તેમને કેવી રીતે હિંંમત આપીશ. હું જ્યારે તેના ઘરે ગઈ તો મારી નર્વસનેસ દૂર થઈ ગઈ. અંકલને (સુશાંતના પિતા) મળીને એવું લાગ્યું કે મને તેમના તરફથી હિંમત મળી રહી છે. આ સ્થિતિમાં તમે શું વાત કરો અને શું હિંમત આપો. પરંતુ અંકલ એક અલગ વ્યક્તિ છે. તેઓ એટલા શાંત હતા. સુશાંતની દીદીને પણ મળી. મને લાગે છે કે હું ત્યાથી હિંમત લઈને પાછી આવી છું. એ સમજીને આવી છું કે જીવનમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. આવી ઘટનાઓ બાદ પણ જીવન આપોઆપ આગળ વધતું રહે છે. અંકલને જોઈને સાચેમાં અંદરથી કંઈક ચેન્જ થયું છે અને નોર્મલ લાઈફમાં સ્ટ્રોન્ગ ફીલ કરી રહી છું. શરૂઆતમાં વીકનેસ લાગતી હતી, પરંતુ હવે તે દૂર થઈ ગઈ છે’.

‘હું ત્યાં માત્ર એટલું જ કહી શકી કે અંકલ હું અવાર-નવાર પટના આવું છું અને જ્યારે આવીશ ત્યારે તમને મળવા જરૂરથી આવીશ. મીડિયાને કહેવા માગીશ કે, દરેક બાબતમાં તેઓ જે સવાલ પૂછે છે કે તમે કેમ નથી જતા…તમે ક્યારે જવાના છો…આ ક્ષણ ખૂબ જ અંગત હોય છે. દરેક બાબત મીડિયાને કહેવી તે થોડું વિચિત્ર છે. દરેક બાબતો તેમને કહેવી શક્ય નથી. મારી સાથે જે જોડાયેલા છે તેમને કહેવા માગુ છું કે, અત્યારે મને સારું લાગી રહ્યું છે અને માટે હું અંકલની આભારી છું. તેમને મળીને મને હિંમત મળી. મારી મમ્મી પણ ખૂબ જ દુઃખી હતી. તે મને મુંબઈ જવાની ના પાડતી હતી’, તેમ એક્ટ્રેસે કહ્યું.

‘દરેક લોકો જીવનમાં આગળ વધી જશે અને વધી રહ્યા છે. પરંતુ સૌથી વધારે માતા-પિતા ચિંતિત છે. અને આ માટે જવાબદાર છે કોમ્યુનિકેશન. હું મારી મમ્મી સાથે હંમેશા હળવા મુદ્દા પર વાતો કરુ છું. કારણ કે હું તેને ચિંતા કરતી જોઈ શકતી નથી. પરંતુ હવે લાગે છે કે, દરેક બાળકે તેમના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે દરેક મુદ્દાની વાતચીત કરવી જોઈએ. મારી મમ્મીએ મને કહ્યું કે, તમે બાળકો અમને નબળા સમજો છો. પરંતુ તમે ભૂલી જાઓ છો કે, તમારો ઉછેર અમે કર્યો છે. તમારા બાળપણ સાથે જોડાયેલી એવી-એવી ઘટનાઓ છે જે તમને યાદ પણ નહીં હોય, પરંતુ અમે તે હેન્ડલ કરી હતી. તો શું તમે જ્યારે મોટા થઈ જાઓ ત્યારે અમે તમારી નાની-નાની તકલીફ હેન્ડલ ન કરી શકીએ? શેર કરવાથી બની શકે કે અમે અમારા અનુભવ પરથી તમને સલાહ આપી શકીએ. મને લાગે છે કે તે સાચી છે. અને ત્યારપછી અમારી વચ્ચે જે વાતચીત થતી હતી તે બદલાઈ છે. ઘણું બધું બદલાયું છે. બધુ જ સુશાંતના પિતાના કારણે. અંકલ જે નથી કહેતા તે એમની એનર્જી કહી જાય છે. અંકલને મળીને પોઝિટિવિટી આવી ગઈ છે. હું પ્રાર્થના કરી રહી છું કે, તેમની હિંમત વધતી રહે અને તેઓ અન્યને પણ હિંમત આપતા રહે. ભગવાનના આશીર્વાદ તેમની સાથે છે. હું આશા રાખું છું કે સુશાંતને ન્યાય મળે. ઉપરવાળો બધુ જોઈ રહ્યો છે. તે ન્યાય અપાવશે. જે થશે સારું થશે. જીવનમાં ઘણી આવી ઘટનાઓ બને છે પરંતુ તમારે જીવનમાં આગળ વધવું પડે છે’, તેમ રતને વીડિયોમાં જણાવ્યું.

અગાઉ રતન લોકડાઉનના કારણે ગામડામાં ફસાઈ હતી અને હાલમાં જ ઘરે પરત ફરી છે. એક્ટ્રેસ સેલ્ફ-ક્વોરન્ટિનમાં રહી હતી અને તેણે આ દરમિયાન ઘણા વીડિયો પણ શેર કર્યા હતા. ઘરે પરત ફર્યા બાદ ગયા અઠવાડિયે તે પોતાના પરિવારને મળી હતી.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/3eH9YSd

No comments:

Post a Comment

Pages