આજનો દિવસ ઉત્તમ, વણજોયું મૂહુર્ત

આજે અષાઢી ગુપ્ત નવરાત્રનો નવમો દિવસ જેને ભડલી નોમ પણ કહેવાય છે. શાસ્ત્રોમાં આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. તેમાં પણ આજના દિવસે કરવામાં આવેલ લગ્ન ખૂબ જ માંગલિક રહે છે. અખાત્રીજની જેમ આ તિથિને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અષાઢ મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે અને આ દિવસોમમાં ખાસ કરીને સિદ્ધિ મેળવવા માટે દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ વખતે 5 મહિનાનો ચાતુર્માસ

આ નવમી તિથિ બાદ 2 દિવસ પછી આવતી દેવશયની એકાદશીથી 4 મહિના માટે તમામ માંગલિક કાર્યો બંધ રહે છે. જોકે આ વખતે આ સમય 5 મહિના જેટલો લાંબો રહેશે કેમ કે ચાતુર્માસ દરમિયાન આસો મહિનામાં અધિક માસ છે. જેથી 1 જુલાઈ દેવશયની એકાદશીથી 5 મહિના માટે બધા જ માંગલિક કાર્યો બંધ થઇ જશે. દિવાળી બાદ કાર્તક મહિનામાં 25 નવેમ્બરે દેવઉઠની એકાદશીથી ફરીથી માંગલિક કાર્યો શરૂ થઇ શકે છે.
સુખી લગ્નજીવન માટે ભડલી નોમ અને સોમવારનો યોગ ઉત્તમ

આ શુભ દિવસે ગણેશજી, શિવજી અને દેવી પાર્વતીની વિશેષ પૂજા કરો. શિવલિંગ પાસે દીવો પ્રગટાવો અને ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. મંત્ર જાપ માટ રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ શિવલિંગની પૂજા એકસાથે કરવી જોઇએ અને જળધારી ઉપર કંકુ, હળદર, લાલ બંગડી, લાલ સાડી, લાલ ગુલાબ ચઢાવવાં જોઇએ.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2Ab3s71
No comments:
Post a Comment