Latest

Monday, June 29, 2020

આજે સોમવાર અને ભડલી નોમ, મહાદેવ અને દેવી દુર્ગાનું પૂજન કરવાથી મળે છે લગ્નજીવનનું સુખ

આજનો દિવસ ઉત્તમ, વણજોયું મૂહુર્ત

આજે અષાઢી ગુપ્ત નવરાત્રનો નવમો દિવસ જેને ભડલી નોમ પણ કહેવાય છે. શાસ્ત્રોમાં આ તિથિનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. તેમાં પણ આજના દિવસે કરવામાં આવેલ લગ્ન ખૂબ જ માંગલિક રહે છે. અખાત્રીજની જેમ આ તિથિને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. અષાઢ મહિનાની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહેવાય છે અને આ દિવસોમમાં ખાસ કરીને સિદ્ધિ મેળવવા માટે દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ વખતે 5 મહિનાનો ચાતુર્માસ

આ નવમી તિથિ બાદ 2 દિવસ પછી આવતી દેવશયની એકાદશીથી 4 મહિના માટે તમામ માંગલિક કાર્યો બંધ રહે છે. જોકે આ વખતે આ સમય 5 મહિના જેટલો લાંબો રહેશે કેમ કે ચાતુર્માસ દરમિયાન આસો મહિનામાં અધિક માસ છે. જેથી 1 જુલાઈ દેવશયની એકાદશીથી 5 મહિના માટે બધા જ માંગલિક કાર્યો બંધ થઇ જશે. દિવાળી બાદ કાર્તક મહિનામાં 25 નવેમ્બરે દેવઉઠની એકાદશીથી ફરીથી માંગલિક કાર્યો શરૂ થઇ શકે છે.

સુખી લગ્નજીવન માટે ભડલી નોમ અને સોમવારનો યોગ ઉત્તમ

આ શુભ દિવસે ગણેશજી, શિવજી અને દેવી પાર્વતીની વિશેષ પૂજા કરો. શિવલિંગ પાસે દીવો પ્રગટાવો અને ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. મંત્ર જાપ માટ રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઇએ. પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ શિવલિંગની પૂજા એકસાથે કરવી જોઇએ અને જળધારી ઉપર કંકુ, હળદર, લાલ બંગડી, લાલ સાડી, લાલ ગુલાબ ચઢાવવાં જોઇએ.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat https://ift.tt/2Ab3s71

No comments:

Post a Comment

Pages