Latest

Monday, July 6, 2020

અમદાવાદમાં છેલ્લા 100 દિવસોમાં રોજના સરેરાશ 15 દર્દીઓ કોરોનાથી મોતને ભેટ્યા

અમદાવાદઃ 26મી માર્ચે શહેરમાં 85 વર્ષના એક વૃદ્ધાનું કોરોનાથી મોત થયું હતું. તેઓ સાઉદી અરેબથી અમદાવાદ પાછા આવ્યા હતા અને જિલ્લામાં તેઓ કોરોનાથી મૃત્યુ પામનારા પહેલા દર્દી હતા. જ્યારે ગુજરાતમાં આ કોરોનાથી ત્રીજું મોત હતું. આ પહેલા 23મી અને 25મી માર્ચે સુરત અને ભાવનગરમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ત્યારથી જ અમદાવાદ શહેરની સાથે જિલ્લો પણ કોરોનાના દર્દીઓના મોત મામલે હોટસ્પોટ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના દર્દીના પહેલા મોત બાદથી શનિવારે 100 દિવસ પૂરા થયા. તેના પરનું એક વિશ્લેષણ દર્શાવે છે કે અમદાવાદમાં પહેલા મોત બાદથી રોજના એવરેજ 14.7 અથવા 15 દર્દીઓના મોત નોંધાય છે.

અમદાવાદ શહેરના વિસ્તારોના વિશ્લેષણથી માલુમ પડે છે કે 25 ટકા મોત માત્ર સેન્ટ્રલ ઝોનમાં થયા છે. જ્યારે નોર્થ, સાઉથ અને ઈસ્ટ ઝોનમાં અનુક્રમે 19.5 ટકા, 18 ટકા અને 17 ટકા દર્દીઓ મોતને ભેટ્યા છે. પશ્ચિમ અમદાવાદ 20.5 ટકા જ્યારે નોર્થવેસ્ટ ઝોનમાં સૌથી ઓછા 3 ટકા મોત નોંધાયા છે.

જોકે ડેટાના એનાલિસિસ મુજબ, છેલ્લા 10 દિવસોમાં મૃત્યુદર ઘટ્યો છે. આ દરમિયાન સૌથી વધારે મૃત્યુદર 26મે અને 4 જૂન વચ્ચે રહ્યો હતો, જેમાં 2764 પોઝિટિવ કેસ નોંધાવા સામે 216 દર્દીઓના મોત થયા હતા. આ દરમિયાન મૃત્યુદર 7.8 ટકા રહ્યો હતો. જ્યારે 26 એપ્રિલ અને 5 મે વચ્ચે જિલ્લામાં 7.7 ટકાના મૃત્યુદરથી 187 લોકોના મોત થયા હતા. જ્યારે 5થી 14 જૂન વચ્ચેના 10 દિવસમાં સૌથી વધારે 249 દર્દીઓના મોત થયા. આ દરમિયાન રોજના એવરેજ 25 દર્દીઓના મોત થતા હતા.

જિલ્લામાં 5મી મેએ એક જ દિવસમાં સૌથી વધારે દર્દીઓના મોતનો આંકડો નોંધાયો હતો. આ દિવસે 39 દર્દીઓના મોત થયા હતા. શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા એક ડોક્ટરે જણાવ્યું કે, મૃત્યુદરમાં ઘટાડા પાછળ કેટલાક પરિબળો જવાબદાર છે. અમે શરૂઆતના 2 મહિનાની તુલનાએ વાઈરલ ઈન્ફેક્શનને હવે વધારે સારી રીતે સમજી શકીએ છીએ.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Z1JhCb

No comments:

Post a Comment

Pages