અમદાવાદ: કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ભારે અસર થઈ રહી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના પરિણામના એક મહિના બાદ પણ ડિપ્લોમાં એન્જિનિયરીંગ પ્રવેશની પ્રક્રિયા હજી સુધી શરૂ કરાઈ નથી. મીડિયા રિપોર્ટ મુજબ ધોરણ-10માં ત્રણ વિષયમાં મેરિટને આધારે સીધી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. છતાંય હજુ સુધી આ કાર્યવાહી શરૂ કરવાની કોઈ પણ જાહેરાતમાં પણ થઈ નથી. જેથી વિદ્યાર્થીઓએ હવે ધોરણ-11માં એડમિશન લઈને અભ્યાસ શરૂ કરવો પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, અન્ય વિદ્યાર્થીઓએ જે તે સ્કૂલમાં ધોરણ-11માં એડમિશન લઈને અભ્યાસ શરૂ કરી દીધો છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં ધોરણ-10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરીંગ એડમિશન માટેની કોલેજમાં અંદાજિત 65 હજારથી વધુ સીટ ઉપલબ્ધ છે. ધોરણ-10નું પરિણામ જાહેર થયા બાદ દર વર્ષે આ બેઠકો પર એડમિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાને કારણે ચાલુ વર્ષે તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવાની હોવાથી વિલંબ થઈ રહ્યો હોવાની પ્રવેશ કમિટીના સભ્યોના દ્વારા કરવામાં આવી હતી. આમ ડિપ્લોમાં ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા બંધ હોવાને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓએ ધોરણ-11માં એડમિશન લઈ લીધું છે.
9મી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેરાત
મીડિયા રિપોર્ટ મુજબ ડિપ્લોમાં એન્જિનિયરીંગ પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ હતાશ ન થયા તે માટે ડિગ્રી ઈજનેરી એડમિશન કમિટીએ 9મી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશન સહિતની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, ધોરણના-10ના પરિણામના આધારે જ વિદ્યાર્થીઓને ડિપ્લોમાં ઈજનેરીમાં સીધો પ્રવેશ મળી શકે છે. જો એડમિશન કમિટી અને સરકાર ઈચ્છે તો આવતીકાલથી પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/38uZRgL
No comments:
Post a Comment