Latest

Saturday, July 11, 2020

કોરોના: રાજકોટમાં આજથી 3 દિવસ સુધી ચાની દુકાનો બંધ રાખવા નિર્ણય

રાજકોટ: રાજકોટમાં પણ હવે દિવસેને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા કેસોને લઈને ચા-હોટલ એસોસિએશને 3 દિવસ ચાની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે. જે મુજબ શનિવાર, રવિવાર અને સોમવારે આમ ત્રણ સુધી ચાની દુકાનો સંપૂર્ણપણે બંધ રહેશે.

રાજકોટ મનપાની કડક કાર્યવાહી
મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ચા અને પાનની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા તેમજ વધારે પડતી ભીડ હોવાને કારણે એક બાદ એક 17 ચા પાનની દુકાનો સીલ કરી છે. મનપાએ કડક કાર્યવાહી શરૂ થતા રાજકોટ ટી સ્ટોલ હોટલ એસોસિએશને શનિવાર, રવિવાર, સોમવારે ચાની હોટેલો બંધ રાખવાની જાહેરાત કરી છે.

RMCએ 17 દુકાનો સીલ કરી
રાજકોટ મહાનગરપાલિકાએ છેલ્લા ત્રણ દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો પર ટોળાં એકત્ર થાય તે દુકાન સીલ કરવાનુ શરૂ કર્યું છે. 10 જુલાઇએ નાનામવા રોડ પર દ્વારકાધિશ ટી સ્ટોલ, જાફર ટી સ્ટોલ- ડી.એચ. કોલેજ, ખોડિયાર પાન- મવડી ચોકડી, ખોડિયાર કોલ્ડ્રીંક્સ- મવડી ચોકડી, ખોડિયાર ટી એન્ડ વડાપાઉં-મડી ચોકડી , બાલાજી હોલ પાસે રવેચી હોટલ અને ગોપાલ ટી અને દોશી હોસ્પિટલ પાસે ચાનો થડો સીલ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં કોરોનાની સ્થિતિ
શુક્રવાર સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં રાજકોટ કોર્પોરેશનના 24 અને રાજકોટ જિલ્લાના 15 મળી કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે હવે રાજકોટમાં કુલ કેસોની સંખ્યા 588 અને કુલ મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે. રાજકોટમાં અત્યાર સુધી 173 લોકોને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OrDfVz

No comments:

Post a Comment

Pages