Latest

Wednesday, July 22, 2020

કોરોનાઃ દેશમાં જુલાઈમાં 6 લાખ કેસ નોંધાયા, છેલ્લા તમામ મહિનાઓના કુલ કેસ કરતાં વધુ

ન્યૂ દિલ્હીઃ ભારતમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. આ મહિનામાં અત્યારસુધીમાં કોરોનાના 6 લાખ કેસ નોંધાયા છે, જે છેલ્લા તમામ મહિનાઓના કુલ કેસ કરતાં વધારે છે. મંગળવાર સુધીમાં જ જુલાઈમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 6 લાખ કરતાં વધારે થઈ ગઈ હતી, જેની સરખામણીમાં 30 જૂન સુધીમાં ભારતમાં આ વૈશ્વિક મહામારીના પીડિતોની કુલ સંખ્યા 5.9 લાખ હતી. આ મહિનામાં કોરોનાના કારણે 11 હજાર દર્દીઓના મોત થયા છે. આ સંખ્યા આ બીમારીથી અત્યારસુધીમાં મૃત્યુ પામનારાના કુલ 40 ટકા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કોરોનાના કારણે મંગળવારે દેશમાં 670 લોકોએ જીવ ગુમાવ્યો હચો. આ સાથે જ ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારની કુસ સંખ્યા 28,723 થઈ ગઈ છે. કોરોનાથી મૃત્યુઆંકના મામલે ભારત દુનિયામાં સાતમાં નંબરે પહોંચી ગયું છે. દેશે સ્પેનને પાછળ છોડી દીધું છે, જ્યાં કોરોનાનો મૃત્યુઆંક 28,422 છે.

મંગળવારે દેશમાં કોરોનાના નવા 38,444 કેસ નોંધાયા હતા, જે રવિવારે નોંધાયેલા 40 હજાર કેસ પ્રમાણે એક દિવસમાં સામે આવેલા નવા કેસનો સૌથી બીજો મોટો આંકડો છે. આ સાથે જ કોવિડ-19ના કુલ સંક્રમિતોની સંખ્યા ભારતમાં 11.9 લાખ થઈ ગઈ છે, જેમાંથી 7.5 લાખ લોકો ઠીક થયા છે જ્યારે 4.1 લાખ એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં પહેલીવાર એક દિવસમાં દર્દીઓની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ તો બીજી તરફ રાજસ્થાનમાં એક દિવસમાં સૌથી વધારે 983 કેસ સામે આવ્યા છે. તો ત્રિપુરામાં મંગળવારે 202 નવા કેસ નોંધાયા હતા. આ સિવાય તમિલનાડુમાં 4,965, આંધ્રપ્રદેશમાં 4,944, ઉત્તરપ્રદેશમાં 2,152, મધ્યપ્રદેશમાં 785 અને પંજાબમાં 381 નવા કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં મંગળવારે ફરી એકવાર નવા દર્દીઓની સંખ્યા વધી છે. સોમવારે નવા દર્દીઓની સંખ્યા 1 હજાર કરતાં ઓછી હતી. પરંતુ મંગળવારે તેમાં વધારો થયો. આ દિવસે 1,349 નવા કેસ નોંધાયા, તો બીજી તરફ 27 દર્દીઓ મૃત્યુ પામ્યા.

મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 8 હજાર કરતાં વધુ નવા કેસ સામે આવ્યા, હવે નવા કેસ અર્ધ-શહેરી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. મંગળવારે રાજ્યમાં 8,369 કેસ નોંધાયા હતા, આ સાથે ત્યાંના કુલ કેસ 3,27,031 થયા છે. જેમાંથી માત્ર 992 અથવા 12 ટકા કેસ મુંબઈના છે.

મુંબઈ માટે રાહતની વાત એ છે કે, છેલ્લા એક મહિનામાં પાંચમી વખત રોજના કેસની સંખ્યા 1 હજાર કરતાં ઓછી છે. મંગળવારે કુલ 992 કેસ સામે આવ્યા હતા, જે છેલ્લા સાત દિવસની સરખામણીમાં સૌથી ઓછા છે. મુંબઈમાં દર્દીઓની કુલ સંખ્યા 1,03,368 થઈ ગઈ છે.

આંધ્રપ્રદેશમાં કોવિડ 19ના કારણે વધુ 62 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધારે છે. આ સિવાય મંગળવારે ત્યાં 4,944 નવા કેસ નોંધાયા હતા.

કુલ 58,668 કેસોની સાથે આંધપ્રદેશ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને કર્ણાટક બાદ દેશનું પાંચમું કોરોના હોટસ્પોટ રાજ્ય બની ગયું છે.

તમિલનાડુમાં મંગળવારે કોવિડ-19ના નવા 4,965 કેસ નોંધાયા હતા, જ્યારે 75 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા તો બીજી તરફ 50,055 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હવે, રાજ્યનો મૃત્યુઆંક 2,626 છે અને કુલ કેસની સંખ્યા 1,80,643 છે. જેમાંથી 4,894 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે 51,344 એક્ટિવ કેસ છે.

રાજસ્થાનની વાત કરીએ તો જ્યાં સરકારે મૃત્યુઆંક ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, ત્યાં 10 જિલ્લાઓમાં કોવિડ-19નો મૃત્યુદર 80 ટકા છે, જે ચિંતાનું કારણ બન્યું છે. આરોગ્ય વિભાગે મૃત્યુઆંક ઘટાડવા માટે ઝડપથી ટેસ્ટિંગ કર્યું હોવા છતાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં એક દિવસમાં સૌથી વધારે 983 કેસ નોંધાયા હતા, આ સાથે ત્યાંના કુલ કેસ 31,373 થઈ ગયા છે.

સુરત: સ્પામાં ઘૂસીને 4 શખ્સોએ ચપ્પુની અણીએ યુવતીને બાનમાં લઈને લૂંટ ચલાવી



from Page Array – I Am Gujarat https://ift.tt/2OI31Vu

No comments:

Post a Comment

Pages