કોરોના વાયરસ મહામારીને પગલે ગુજરાતમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ કરવામાં આવી હતી, જે જૂન મહિનાથી ફરી શરૂ થઈ. જો કે, હાલ તો શાળાઓ માત્ર શિક્ષકો માટે ચાલુ છે વિદ્યાર્થીઓને તો રજા જ છે. ત્યારે શિક્ષકો માટે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. 31 જુલાઈ સુધી રાજ્યની તમામ શાળાઓનો સમય સવારે 7.30થી બપોરે 12 કલાકનો કરવામાં આવ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવાના રહેશે નહીં. શિક્ષણ વિભાગે શિક્ષકોની સગવડતાને ધ્યાનમાં લઈને નિર્ણય કર્યો છે. આ સાથે જ હોમ લર્નિંગ દ્વારા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ વિચારણા ચાલી રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
સામાન્ય રીતે ઉનાળુ વેકેશન પૂરું થયા બાદ 30 જૂન સુધી સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારનો હોય છે. 1 જુલાઈથી શાળાઓ પૂર્ણ સમયથી ચાલે છે. પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતાં વિદ્યાર્થીઓને શાળામાં આવવાની મનાઈ કરવામાં આવી છે. ત્યારે પહેલી જુલાઈથી શાળાઓનો સમય કયો રાખવો તે અંગે વિવિધ જિલ્લામાં ભિન્ન-ભિન્ન પરિપત્ર થયા હતા.
ગયા વર્ષથી સમગ્ર રાજ્યમાં એક સમાન રીતે અભ્યાસક્રમ ચાલે, કામના કલાકો નક્કી થાય, મૂલ્યાંકન થાય તે માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે પણ સ્કૂલોને હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવા માટેની સૂચના આપેલી છે. ત્યારે આગામી સમયમાં હોમ લર્નિંગ દ્વારા બાળકો કેટલું શીખ્યા તેના અનુસંધાને મૂલ્યાંકન કસોટી હાથ ધરવાની વિચારણા ચાલી રહી છે.
31 જુલાઈ સુધી સરકારી પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7.30થી બપોરના 12 સુધીનો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં આવે પરંતુ શિક્ષકોએ સોંપવામાં આવેલી જે-તે કામગીરી સ્કૂલમાં હાજર રહીને કરવાની રહેશે. આ દરમિયાન શિક્ષકોએ GCERTની હોમ લર્નિંગ અંગેની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. દરેક અઠવાડિયે ઓછામાં ઓછા એકવાર અને વધુમાં વધુ બેવાર પોતાના વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈને ટેલિફોનિક સંપર્ક કરવાનો રહેશે. આ સિવાય નજીકના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની મુલાકાત લઈને હોમ લર્નિંગમાં તેમને કોઈ તકલીફ પડતી હોય તો તે દૂર કરવામાં મદદ કરવાની રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VyFF8F
No comments:
Post a Comment