અમદાવાદ: 21 માર્ચ 2020થી બંધ થયેલા AMC સંચાલિત આધારકાર્ડ કેન્દ્ર 110 દિવસ બાદ ફરીથી શરૂ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આવતીકાલથી નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિગ ખાતેની કચેરીમાં પ્રાયોગિક ધોરણે આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવાનો AMCએ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, AMC એવા વિસ્તારમાં આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યું છે જ્યાં પહેલેથી કોરોનાનું સંક્રમણ વધારે છે. તો હવે તેના આ પગલાંથી કોરોના વધુ સ્પ્રેડ થશે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે.
પ્રાયોગિક ધોરણે નવરંગપુરામાં શરુ કરાશે આધારકાર્ડ કેન્દ્ર
મીડિયા રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેટરોએ જ આધારકાર્ડ શરૂ કરવાની માંગણી કરી હતી. જેના અનુસંધાને AMCના ઉચ્ચ અધિકારીઓએ આધારકાર્ડ નોંધણી કે સુધારાવધારા માટે પ્રાયોગિક ધોરણે નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગ ખાતે ચોથા માળે સીટી સેન્સસ વિભાગની કચેરીમાં આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
આધારકાર્ડ માટે ટેલિફોનિક એપોઈન્ટમેન્ટ લેવી પડશે
જોકે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તથા બિનજરૂરી ભીડને રોકવા માટે ટેલિફોનિક એપોઈન્ટમેન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી હવે કોઈ વ્યક્તિને આધારકાર્ડની નોંધણી અથવા સુધારાવધારા કરાવવા હોય તો તેઓએ AMCના 079-29607004 પર ફોન કરીને પહેલાથી એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જેમણે એપોઈન્ટમેન્ટ નહીં લીધી હોય તેવા લોકોને આધારકાર્ડ ખાતે કોઈ સેવા પૂરી પાડવામાં આવશે નહિં.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VYBi6X
No comments:
Post a Comment