Latest

Saturday, July 11, 2020

અમદાવાદઃ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્યની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

અમદાવાદઃ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના ધાર્મિક વડા પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ જેઓ છેલ્લા બે અઠવાડિયાથી કોરોના સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં એડમિટ છે, તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મણિનગર સ્વામિનારાયણ મંદિરના મહંત ભાગવત પ્રિયદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કચ્છના ભારાસર શહેરમાં 28 મે 1942ના દિવસે જન્મેલા સ્વામીશ્રીને 21 માર્ચ 1962માં જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં દીક્ષા આપી હતી.

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી અથવા પી પી સ્વામીજી ભગવાન શ્રી સ્વામિનારાયણથી સીધા ઉતરેલા તપસ્વી આચાર્યોના વંશમાં વર્તનમાન અને પાંચમા વારસદાર માનવામાં આવે છે. તેઓ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વર્તમાન આચાર્ય છે. થોડા દિવસો પહેલા જ તેઓ કોરોના સંક્રમિત આવ્યા હતા અને પ્લાઝમા થેરાપીથી તેમની સારવાર કરાઈ હતી.

પી પી સ્વામીજીના અધ્યક્ષ સ્થાને સંપ્રદાયના 250થી વધારે મંદિરોનું નિર્માણ કાર્ય થયું છે. હાલમાં દુનિયાભરના તેમના અનુયાયીઓ તેમની રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિનું દ્રષ્ટાંત આપવા માટે તેમણે ઘોડાસર અમદાવાદમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર બનાવડાવ્યું હતું. આ સમગ્ર મંદિર માર્બલમાંથી બનેલું છે. આ ઉપરાંત તેમણે સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો, હોસ્પિટલો અને નશામુક્તિ કેન્દ્રો તથા ક્લિનિક પણ બનાવડાવ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2ClDPkS

No comments:

Post a Comment

Pages