પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે હેતુથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની 3 સહિત દેશભરની કુલ 194 જેટલી દીવાદાંડીઓને મુખ્ય પર્યટન આકર્ષણ તરીકે વિકસિત કરવાની યોજના બની છે. આ માટે તેમણે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી અને દીવાદાંડીના ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
શિપિંગ મિનિસ્ટ્રીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગોપનાથ, દ્વારકા અને વેરાવળની દીવાદાંડીને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા માટેની ચર્ચા પણ મંત્રીએ કરી હતી.
જે દીવાદાંડી 100 વર્ષ કરતાં જૂની છે, તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું. માંડવિયાએ કહ્યું કે, ‘આમ કરવાથી દીવાદાંડીઓ અને આસપાસના વિસ્તારોમાં પર્યટન પ્રવૃતિઓને વેગ મળશે તેમજ લોકોને દીવાદાંડીના સમૃદ્ધ ઈતિહાસ વિશે જાણવાની તક મળશે’.
અધિકારીઓએ દીવદાંડીઓને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો હતો. માંડવિયાએ જે દીવાદાંડી 100 વર્ષ કરતાં જૂની છે તેની ઓળખ કરવાની સૂચના પણ અધિકારીઓને આપી હતી. તેમણે ઈતિહાસ દર્શાવતા મ્યૂઝિયમ ઉભા કરવા માટે અને દીવાદાંડીઓ પર કામ કરવા માટે તેમજ તેની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો પર વધારે ભાર મૂક્યો હતો.
દીવાદાંડીઓના વિકાસના માસ્ટર પ્લાન મુજબ મ્યૂઝિયમ, એક્વેરિયમ, બાળકો માટે પ્લે એરિયા અને ગાર્ડન જેવા અન્ય મુખ્ય આકર્ષણના કેન્દ્રો પણ હશે.
મંત્રીએ પ્રોજેક્ટ પર વિગતવાર પ્રેઝન્ટેશન બનાવવા માટે અધિકારીઓને આદેશ પણ આપ્યા હતા. આ બેઠકમાં સેક્રેટરી, શિપિંગ મંત્રાલયના અધિકારીઓ અને લાઈટહાઉસ (દીવાદાંડી)ના ડીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
from Page Array – I Am Gujarat https://ift.tt/3f4r78t
No comments:
Post a Comment