Latest

Friday, July 10, 2020

કોરોના: હીરાના કારખાનાં બંધ, સુરત છોડી રવાના થઈ રહ્યા છે રત્ન કલાકારો

કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે નાના વેપારીઓ અને મજૂરી કામ કરતા વર્ગની વિકટ સ્થિતિ ઉભી થઈ છે. આવું જ હીરા ઉદ્યોગમાં પણ જોવા મળ્યું છે. કારખાના બંધ થવાના કારણે રત્ન કલાકારો પાસે કામ નથી અને તેમણે સુરત છોડવાનો વારો આવ્યો છે.

સુરત ડાઈમન્ડ વર્કર્સ યુનિયનના અધ્યક્ષ જયસુખ ગજરાજ જણાવે છે, તેમને ડર છે કે 70% કામદારો કે જેઓ શહેર છોડીને જઈ રહ્યા છે તેઓ પાછા નહીં આવે. 9000 કરતા વધારે ડાઈમન્ડ કટિંગ અને પોલિશિંગ કારખાનમાં 6 લાખ કરતા વધારે રત્ન કલાકારો કામ કરે છે. આ કારખાના માર્ચના અંતથી જુલાઈના પહેલા અઠવાડિયા સુધી બંધ રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જોકે, પરીથી જુનના બીજા અઠવાડિયામાં વેપાર ઉદ્યોગ ફરી શરુ થયા તો 600 જેટલા રત્ન કલાકારો અને તેમના પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા. આ પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડાઈમન્ડ પોલિશિંગ યુનિટ 13 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરત લક્ઝરી બસ સંચાલક એસોસિએશનના પ્રમુખ દિનેશ અંધાન જણાવે છે કે, 300 બસોમાં 6000 લોકો સવાર થઈને જઈ રહ્યા છે જેમાંથી મોટા ભાગના રત્ન કલાકારો હોય છે, જેઓ સુરત છોડીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, “દરરોજ લગભગ 6000 જેટલા લોકો લક્ઝરીમાં અને 4000 જેટલા કાર, ટ્રક અને અન્ય વાહનમાં મુસાફરી કરીને શહેર છોડી રહ્યા છે. કેટલાક તો ઘરનો સામાન લઈને રવાના થઈ રહ્યા છે અને બસ ઓપરેટરો દ્વારા તેમનો સામાન મૂકવાના રુપિયા નથી લેવામાં આવતા તેઓ તેને બસની ઉપર ચડાવી દે છે.”

જ્યારે આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું કે, શહેર છોડીને જઈ રહેલા લોકોનો ચોક્કસ આંકડો નથી.

જોકે, આ અંગે બસ સંચાલક એસોસિએશનના પ્રમુખ દિનેશ અંધાને જણાવ્યું કે, જે રીતે દિવાળી વેકેશનમાં રત્ન કલાકારો પોતાના વતન પરત જાય તેવી જ ભીડ અત્યારે જોવા મળી રહી છે. ડાઈમન્ડ પોલિશિંગ યુનિટ્સ બંધ થઈ ગયા છે, અને જેઓ ભાડાના મકાનમાં રહે છે તેમના માટે ભાડું ચૂકવાની પરિવારનું ગુજરાતન કરવું મુશ્કેલ છે.


ગેંગસ્ટર વિકાસ દુબેનું કેવી રીતે થયું એન્કાઉન્ટર? પોલીસે જણાવ્યું 

તેઓ 4 મહિના સુધી કામ વગર બેસી રહ્યા અને પછી થોડી આશા જાગ્યા બાદ ફરી શહેરમાં કોરોના કેસની સંખ્યા વધવાની સાથે યુનિટ્સ બંધ કરવાનો વારો આવ્યો. એટલે લગભગ 1500 જેટલા પરિવારો રોજ પોતાના સામાન સાથે ટ્રકમાં બેસીને તેમના વતન પરત ફરી રહ્યા છે.

દિનેશે અંધાને આ મુદ્દા પર આગળ વાત કરીને જણાવ્યું કે, અમને લાગે છે 70% રત્ન કલાકારો જેઓ પોતાના સામાન સાથે ઘર છોડી રહ્યા છે તેઓ પાછા નહીં આવે. તેમણે ઉમેર્યું કે, મ્યુનિસિપલ કોર્પોરેશને ડાઈમન્ડ અને ટેક્સાઈલ માર્કેટમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે ટીમ બનાવી છે. અમે પણ 250 લોકોની ટીમ બનાવી છે કે જેઓ લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે કે જેથી હીરા અને કાપડ યુનિટ્સમાં કામ કરતા કામદારોમાં વાયરસ ફેલાતો રોકી શકાય. અમે એવી પણ ટીમ બનાવી છે કે જેઓ નિયમોનું ભંગ કરતા હોય તેમના પર નજર રાખી શકાય.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fijBa5

No comments:

Post a Comment

Pages