અમદાવાદઃ આનંદનગરના 35 વર્ષના મહિલાએ મંગળવારે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ દ્વારા તેમને તરછોડવામાં આવી રહ્યા છે, કારણ કે તેમને લાગી રહ્યું છે કે મને “કોરોના જેવા વાયરસ”નો ચેપ લાગ્યો છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં કરેલા ફરિયાદમાં બે બાળકોની માતા જેમાંથી એકની ઉંમર 6 વર્ષ અને બીજાની 5 વર્ષ છે, જેમણે જણાવ્યું છે કે તેમના લગ્ન વડોદરાના ડેવલપર સાથે થયા છે અને તેઓ આનંદનગરમાં રહે છે.
મે મહિનામાં સારુને હૃદયની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું કે તેઓ પોતાના સાસુની સાર સંભાળ માટે રોજ હોસ્પિટલ જતા હતા, જેમની કાર્ડિયાક સર્જરી કરવામાં આવી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ દરમિયાન મહિલાને કફ અને શ્વાસ લેવામાં થતી તકલીફની ફરિયાદ બાદ તેમને કોરોના વાયરસ જેવો ચેપ લાગ્યાનું અનુમાન તેમના પતિ અને તેમના વાલી દ્વારા લગાવવામાં આવ્યું અને તેમને ઘર છોડી દેવા માટે જણાવાયું.
જ્યારે તેમણે આ વાતનો વિરોધ કર્યો તો 20 મેના રોજ વડોદરાના કારેલીબાગમાં આવેલા તેમના ઘરમાંથી બાળકો સાથે ઘરની બહાર ધકેલી દેવામાં આવ્યા. તેમણે (પતિએ) જણાવ્યું કે અમદાવાદ જઈને સારવાર કરાવ અને સાજા થયા પછી જ પાછી આવજે.
દ્વારકાઃ નદીના પાણી ફરી વળતાં કલ્યાણપુરનું નવડીયા ગામમાં બેટમાં ફેરવાયું
આ પછી મહિલા તેના પતિએ અમદાવાદના આનંદનગરમાં રાખેલા ઘરમાં રહ્યા. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી અને પછી સાજા થઈ ગયા. જૂન 29ના રોજ તેમના પતિ આનંદનગરમાં આવેલા ઘરે આવ્યા, પતિએ પત્નીના ત્યાં રહેવા સામે વાંધો ઉઠાવ્યો અને ઘર છોડી દેવા માટે દબાણ કર્યું.
મહિલાએ જણાવ્યું કે, તેમને પતિએ એવી પણ ધમકી આપી કે તેઓ કાયદાકીય રીતે તેમનાથી છૂટા થઈ જશે અને બાળકોને પણ સાથે નહીં રાખે. આ ઘટના પછી મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ઘરેલુંહિંસાની ફરિયાદ દાખલ કરાવી.
from Page Array – I Am Gujarat https://ift.tt/31U3f3J
No comments:
Post a Comment