અમદાવાદઃ કચ્છ અને આજુબાજુના વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા શહેરમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા તો આજે ભારે વરસાદની આગાહી છે. રવિવારે આખો દિવસ બફારો અને ઉકળાટ સહન કર્યા બાદ સાંજે વરસાદ પડતાં અમદાવાદીઓએ હાશકારો લીધો હતો. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના જુનાગઢ અને દ્વારકામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ જુનાગઢના માળીયા તાલુકામાં, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં, ગીર સોમનાથના તલાલામાં શનિવારે અને રવિવારે મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ભારતીય હવામાન વિભાગે દ્વારકા, સુરત, વલસાડ સહિત સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જ્યારે અમદાવાદ, ખેડા, પંચમહાલ તેમજ નર્મદા સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. તો 5થી 9 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું કે, ગુજરાતમાં NDRFની સાત ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આઠ ટીમ સ્ટેન્ડબાય પર છે.
નદીમાં તણાઈ વાન, એકનું મોત
રવિવારે રાજકોટ પાસે આવેલી નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં એક પીક-અપ વાન વહી જતાં બે લોકો પોતાને બચાવવામાં સફળ થયા હતા જ્યારે એકનું ડૂબી જવાથી મોત થયું હતું, તેમ અધિકારીઓએ જણાવ્યું.
બોલેરો જે પુલ પરથી પસાર થઈ રહી હતી તે ખોખરદાર નદીના પાણીથી ભરાઈ ગયો હતો.
‘વાનમાં ત્રણ લોકો હતા. જેમાંથી બે સમયસર વાહનમાંથી બહાર આવવામાં સક્ષમ રહ્યા હતા. જ્યારે ત્રીજો વ્યક્તિ ગાયબ છે, જેની ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી યથાવત્ છે’.
from Page Array – I Am Gujarat https://ift.tt/38ySp4y
No comments:
Post a Comment