Latest

Monday, July 13, 2020

લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ આ એક્ટ્રેસની બચત, કહ્યું ‘હવે કામ શોધવાની જરૂર’

સેટ પર પાછી ફરવા તૈયાર અંજલી

છેલ્લે સીરિયલ ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં જોવા મળેલી એક્ટ્રેસ અંજલી આનંદે થોડા દિવસ પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે દુલ્હનના ગેટઅપમાં જોવા મળી હતી. તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘હું મારા શોટ માટે રેડી છું…કોઈ બોલાવો તો ખરા’. એક્ટ્રેસની આ પોસ્ટ તે વાત તરફ ઈશારો કરી રહી હતી કે, મહામારી દરમિયાન ઘણા લોકોને કામ મળી રહ્યું નથી. પરંતુ હવે તે સેટ પર પાછી ફરવા માટે તૈયાર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કામની શોધમાં છે એક્ટ્રેસ

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું હાલ તે કામની શોધમાં છે? જેનો જવાબ આપતા તેણે કહ્યું કે, ‘હા…આ મહામારીએ મને મોટો ફટકો આપ્યો છે. અમને પગાર મળી રહ્યો નથી. અમારી બચત ખર્ચાઈ રહી છે, કારણ કે અમારી પાસે મહિનાઓથી કામ નથી. અને કામ માટે પ્રોફેશનલ તરીકે કંપનીઓમાં કોલ કરવા તે બાબત મને જરાય ખોટી લાગતી નથી. અમે કામ કરવા માટે તૈયાર છીએ તે અંગે લોકોને જાણ કરવા માટે અમારી પાસે ઈન્સ્ટાગ્રામ છે’.

છેલ્લા 3 મહિનાથી પાસે નથી કામ

તેણે વધુમાં ઉમેર્યું કે, ‘મેં ‘કુલ્ફી કુમાર બાજેવાલા’ માટે ફેબ્રુઆરીમાં શૂટિંગ બંધ કર્યું હતું. અને માર્ચમાં લોકડાઉન આવી ગયું. અમે ખરેખર તૈયાર નહોતા. અમારે હવે ઝીરોથી ફરીથી શરૂઆત કરવી પડશે. મેં તેને લગતી કોઈ પોસ્ટ મૂકી નહોતી. કારણ કે મને જાણ છે કે, ઘણા કલાકારો ઘરે બેઠા છે અને તેઓ ફોન કોલની રાહ જોઈ રહ્યા છે. મને ખાતરી છે કે તેમને કામ મળશે. લોકોને લાગે છે કે, કલાકારોને આપોઆપ કામ મળી જાય છે, તેથી તેમને કામ માગવાની જરૂર નથી. પરંતુ તેવું ખરેખર નથી. જ્યારે નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર કામની તક અંગેની વાત કહી હતી તેનાથી હું પ્રેરાઈ હતી. સોશિયલ મીડિયા ઘણીવાર સારું કામ કરે છે અને ઘણીવાર કામ માગવા માટે તેના પર સતત એક્ટિવ રહેવું પડે છે. પૂરતી સાવચેતી સાથે સીરિયલોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અને મને પણ પૂરતા નિયમોનું પાલન કરીને કામ શરૂ કરવામાં વાંધો નથી’.

‘મારે હવે કામ પર જવું છે’

તેનો શો અચાનક જ કેમ બંધ થઈ ગયો તેમ પૂછતાં એક્ટ્રેસે જણાવ્યું કે, ‘મને ખરેખર ખબર નથી. મને બસ એટલી જ ખબર છે કે મારે રોજ કામ પર જવું છે અને મારું બેસ્ટ આપવું છે. આનાથી વધારે જાણ નથી. તે શો અદ્દભુત હતો અને તેની પ્રોસેસ દરમિયાન મારી જાત વિશે પણ મને ઘણું જાણવા મળ્યું’.

‘સ્થિતિમાંથી બહાર આવીએ તેવી પ્રાર્થના’

અંજલીએ કહ્યું કે, તે રસપ્રદ રોલના શોધમાં છે. ‘કુલ્ફી કુમાર બાજેવાલા બાદ સેટ પર તાળા લાગી ગગયા હતા. તેથી ઓફર મળવાનો કોઈ સ્કોપ નહોતો. હવે આ સ્થિતિમાંથી આપણે ઝડપથી બહાર આવી જઈએ તેવી પ્રાર્થના કરવી જોઈએ. નોર્મલ લાઈફનો આઈડિયા પણ બદલાઈ ગયો છે. લોકો આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સક્ષમ બને તેવી ઈશ્વરને પ્રાર્થના’.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3iVISJj

No comments:

Post a Comment

Pages