Latest

Wednesday, July 1, 2020

અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતા કોવિડ કેર અને ક્વોરેન્ટાઈન સેન્ટર બંધ કરાયા!

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાની પેટર્નમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસોમાં જોરદાર ઉછાળો થઈ રહ્યો છે. પરંતુ અમદાવાદમાં નવા કેસ અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં AMCએ કોવિડના દર્દીઓની સારવાર માટે શરૂ કરેલા મોટાભાગના કોવિડ કેર અને ક્વોરેન્ટાઈન સેન્ટર્સ બંધ કરી દેવામાં આવ્યા છે.

10થી 19 અને 20થી 29 જૂન સુધી નવા કેસોની સરખામણી સૂચવે છે કે, અમદાવાદ જિલ્લાનો પોઝિટિવ કેસોનો હિસ્સો 64 ટકાથી ઘટીને 42.2 ટકા થયો છે. જ્યારે કોવિડ-19ના દર્દીઓના મૃત્યુમાં અમદાવાદ જિલ્લાનો હિસ્સો 75 ટકાથી ઘટીને 65 ટકા થયો છે. આમ કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતા તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટર અને ક્વોરેન્ટાઈન ફેસિલિટીમાં ગોઠવવામાં આવેલા ડૉક્ટર્સ અને સ્ટાફને પણ પરત મોકલી દેવાયા છે.

નવગુજરાત સમયના અહેવાલ પ્રમાણે જે કોવિડ કેર અને ક્વોરેન્ટાઈન સેન્ટર બંધ કરવામાં આવ્યા છે તેમાં, નિકોલના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ગોતાની આવાસ યોજના, ઈસનપુરની વ્યાસ વાટિકા, નિકોલમાં તાપી આવાસ યોજના, હેલ્મેટ સર્કલ પાસેની સમરસ હોસ્ટેલ, ચાદંખેડાની વિશ્વકર્મા કોલેજની હોસ્ટેલ અને ચાંદલોડિયાની આર.સી. ટેક્નિકલ હોસ્ટેલનો સમાવેશ થાય છે.

….તો આ કારણે અમદાવાદમાં કોરોનાથી આંશિક સફળતા મળી
– ક્લસ્ટર ઝોનમાં એગ્રેસિવ સર્વેલન્સ
– કોરોનાના ટેસ્ટિંગની કામગીરી
– કોરોના સામે હોમ આઈસોલેશન
– હોમ કન્સ્લટેશનની રણનીતિ
– કોરોનાના દર્દીની તાત્કાલિક ટ્રીટમેન્ટ
– ચા-નાસ્તો અને ભોજની પૂરી સુવિધા
– ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતની વ્યવસ્થા
– કોવિડ કેર સેન્ટર અને ક્વોરેન્ટાઈન ફેસિલિટી
– જુદા-જુદા ખાતાનાં અધિકારીઓ અને કર્માચારીઓની ફાળવણી
– હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ અને બેડની યોગ્ય વ્યવસ્થા



from Page Array – I Am Gujarat https://ift.tt/38fircE

No comments:

Post a Comment

Pages