કે.શ્રીનિવાસ રાવ, મુંબઈઃ આઈસીસીએ આ વર્ષે ઓક્ટોબરમાં થનારા ટી-20 વર્લ્ડકપ પર કોઈ નિર્ણય લીધો નથી. ભારતીય કિક્રેટ બોર્ડ આઈસીસીના આ વલણથી ખુશ નથી. બોર્ડની ગવર્નિંગ બોડી આઈસીસીના આ વલણથી કંટાળી ગઈ છે. અને હવે તેમણે પોતાની યોજનાઓ પર કામ કરવાનું ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ભારતીય ક્રિકેટ બોર્ડ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયલ લીગની તૈયારીઓ શરૂ કરી રહ્યું છે. બોર્ડ આ વાતને લઈને ચિંતામુક્ત છે કે આઈસીસી વર્લ્ડકપ પર શું નિર્ણય લે છે. આ પહેલા અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની રિપોર્ટમાં જણાવાયું હતું કે, બીસીસીઆઈએ આઈપીએલની તારીખ વિચારી રાખી છે અને તે આ હિસાબથી જ તૈયારી કરી રહ્યું છે. તે આઈસીસીના નિર્ણયની રાહ જોવા નથી માગતું.
બીસીસીઆઈના ટ્રેઝરરે અરુણ ધૂમલે કહ્યું, આ વર્ષની શરૂઆત ખૂબ ખરાબ રીતે થઈ છે અને તેનાથી રાહત મળતી દેખાતી નથી. પરંતુ જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે આપણે મળીને સ્થિતિનો સામનો કરવો પડશે. આપણે કોઈપણ આયોજન માટે તૈયાર રહેવું પડશે. ક્રિકેટ પણ તેનાથી અલગ નથી. હવે સમય આવી ગયો છે કે બીસીસીઆઈ પોતાની આ વર્ષની યોજનાને લઈને તૈયારી શરૂ કરે.
પાછલા વર્ષે ઓક્ટોબરમાં બીસીસીઆઈમાં સામેલ થયેલા યુવા અધિકારી છેલ્લા ત્રણ મહિનાથી બંધ ક્રિકેટને ફરી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, દુનિયામાં હવે સ્પોર્ટ્સ પાછા આવી રહ્યા છે. તેમણે કહ્યું, અમેરિકામાં એનબીએ, ઈગ્લિશ પ્રીમિયર લીગ, બુંદેસલીગા શરૂ થઈ ચૂકી છે. અહીં સુધી કે ઓસ્ટ્રેલિયામાં પણ ડોમેસ્ટિક રગ્બી લીગ શરૂ થવાની છે.
બીસીસીઆઈનું માનવું છે કે તે આઈસીસી દ્વારા હજુ સુધી વર્લ્ડકપને લઈને જાહેરાત ન કરવા પર ઘણો સમય બરબાદ કરી ચૂક્યું છે. ઈન્વેસ્ટર્સનું કહેવું છે કે અન્ય લોકો ભારતને ન જણાવી શકે કે તેઓ ક્યારે રમતની શરૂઆત કરે.એવામાં બોર્ડ આઈપીએલના આયોજનને લઈને પોતાની તૈયારીઓ ચાલું રાખશે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/3f5Rv1J
No comments:
Post a Comment