નવી દિલ્હીઃ કેન્દ્રના બંદર, શિપિંગ અને વોટરવેઝ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાએ એક સોશિયલ મિડિયા પોસ્ટમાં જાહેરાત કરી છે કે ચીનના દરિયાકાંઠા નજીક ગયા વર્ષના જૂન મહિનાથી ફસાઈ ગયેલા ભારતીય ખલાસીઓનું એક જૂથ આવતી 14 જાન્યુઆરીએ સ્વદેશ પાછું ફરશે. એમ.વી. જગ આનંદ ઉપરાંત એનેસ્ટેશિયા નામના એક અન્ય જહાજના ખલાસીઓ પણ ચીનના સમુદ્ર કાંઠા નજીક અટવાઈ ગયા છે. તે જહાજમાં પણ અમુક ભારતીય ખલાસીઓ છે. આ ખલાસીઓ બંને જહાજમાં ઓસ્ટ્રેલિયામાંથી કોલસો ભરીને છ મહિના પહેલાં ચીન પહોંચ્યા હતા, પરંતુ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતા તથા અન્ય કારણોસર આ જહાજોમાંથી કોલસો ઉતારવાનો ચીનના સત્તાવાળાઓએ ઈનકાર કરી દીધો હતો. પરિણામે જહાજોના ખલાસીઓ અટવાઈ ગયા છે.
માંડવિયાએ કહ્યું છે કે બેમાંના એક જહાજ – એમ.વી. જગ આનંદના 23 ભારતીય ખલાસીઓ જાપાનના ચીબા તરફ પ્રયાણ કરશે. ત્યાંથી તેઓ 14 જાન્યુઆરીએ ભારત પહોંચશે. વિદેશ મંત્રાલય આ સંબંધમાં ચીનના સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.
Our Seafarers stuck in China are coming back to India!
Ship M. V. Jag Anand, having 23 Indian crews, stuck in China, is set to sail toward Chiba,Japan to carry out crew change, will reach India on 14th January.
This could only happen due to strong leadership of @NarendraModi ji— Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2021
from chitralekha https://ift.tt/2MRhr8b
via


No comments:
Post a Comment