નવી દિલ્હીઃ એક તરફ અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં સત્તા ચલાવતું તાલિબાન પણ પડકાર આપી રહ્યું છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ દાવો કર્યો છે કે “ઝુલ્મ-એ-લાલ” અભિયાન દરમિયાન કંધાર સરહદી વિસ્તારમાં અફઘાન દળોએ પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર મોટી કાર્યવાહી કરી છે. પ્રવક્તાના જણાવ્યા મુજબ ઝિલહિજ્જા મહિનાની 13મી રાત્રે 205 અલ-બદર કોરની 6મી બોર્ડર ઉબૈદાહ બ્રિગેડ સાથે જોડાયેલા ડિફેન્સ ફોર્સિસે પાકિસ્તાન સામે અભિયાન શરૂ કર્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે આ કાર્યવાહી દરમિયાન તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની સૈન્ય શાસનની સાત ચોકીઓ કબજામાં લઈ લીધી છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર આ હુમલામાં પાકિસ્તાની સેનાના ડઝનો સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. એ સાથે જ અફઘાન દળોએ સાત હળવા અને ભારે હથિયારો તથા આઠ દિવસ-રાત દેખરેખ કેમેરા પણ જપ્ત કર્યા છે.
પ્રવક્તાએ વધુમાં દાવો કર્યો હતો કે બે મોટાં સૈન્ય ઠેકાણાં હવે અફઘાન દળોના નિયંત્રણમાં છે. તેમના કહેવા મુજબ આ અભિયાન સરહદી વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવા અને સંભવિત ખતરાઓનો જવાબ આપવા માટે ચલાવવામાં આવ્યું હતું.
در شب ۱۳ ماه حوت، در جریان عملیات «ردالظلم»، نیروهای دفاعی مربوط به لوای ششم سرحدی عبیده از قولاردوی ۲۰۵ البدر کندهار، ۷ پوسته رژیم نظامی پاکستان را بهگونهای کامل فتح کردند که در نتیجهٔ آن دهها تن از عساکر کشته و زخمی شدند… pic.twitter.com/Cg5Q7EzdVT
— د ملي دفاع وزارت – وزارت دفاع ملی (@MoDAfghanistan2) March 4, 2026
એક અન્ય X (ટ્વિટર) પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 201મી ખાલિદ બિન અલ-વલીદ આર્મી કોરની બીજી બોર્ડર બ્રિગેડે પાકિસ્તાનના એક ડ્રોનને નિશાન બનાવી તેને તોડી પાડ્યો હતો.
પાકિસ્તાનની તરફથી પણ કાર્યવાહી ચાલુ
પાકિસ્તાની સુરક્ષા દળોએ મંગળવારે વહેલી સવારે દક્ષિણ-પશ્ચિમ સરહદ પર થયેલા 16 સ્થળોના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને રાત્રિભર ચાલેલાં ઓપરેશનો દરમિયાન અફઘાન તાલિબાનના વધુ 67 લડવૈયાઓને મારી પાડ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

અફઘાન તાલિબાને ઉત્તર બલૂચિસ્તાનના કિલ્લા સૈફુલ્લાહ, નોશ્કી અને ચમન જિલ્લાઓમાં 16 સ્થળોએ સરહદ પારથી હુમલા કર્યા, જ્યારે પાકિસ્તાની સૈનિકોએ 25 સ્થળોએ ગોળીબારી કરી. તમામ હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા, જેમાં અફઘાન તાલિબાનના 27 લડવૈયાઓ માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું. સોમવારે આપેલા નિવેદનમાં મંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સુરક્ષા દળોએ અત્યાર સુધી 435 અફઘાન તાલિબાન લડવૈયાઓને ઠાર કર્યા છે અને 630 અન્યને ઘાયલ કર્યા છે.
from chitralekha https://ift.tt/YsB1f73
via
No comments:
Post a Comment