Latest

Monday, March 30, 2026

ઈરાન યુદ્ધ મુદ્દે અમેરિકી સરકારમાં મતભેદ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે ઈરાન મુદ્દે તેમની સરકારના ટોચના સહયોગીઓ વચ્ચે મતભેદ છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમની સરકારનાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ ઈરાનની પરમાણુ મહત્વાકાંક્ષાઓને રોકવાના મામલે તેમના કરતાં “થોડાં નરમ” છે. ટ્રમ્પે એ પણ સૂચવ્યું હતું કે તહેરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે કોઈ સમજૂતી જલદી થઈ શકે છે. જ્યારે એક પત્રકારે તેમને પૂછ્યું કે શું તેમને તુલસી ગબાર્ડ પર વિશ્વાસ છે, ત્યારે ટ્રમ્પે જવાબ આપ્યો, “હા, બિલકુલ.”

ટ્રમ્પે આ વાત એર ફોર્સ વન વિમાનમાં કરી હતી, જ્યારે તેઓ ફ્લોરિડામાં આવેલા તેમના માર-એ-લાગો નિવાસસ્થાને વીકએન્ડ પસાર કરીને વોશિંગ્ટન પરત ફરી રહ્યા હતા. ગબાર્ડ વિશે તેમણે કહ્યું હતું કે તેમની વિચારધારા મારા કરતાં થોડા અલગ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ સેવા આપવા યોગ્ય નથી. હું આ બાબતે ખૂબ કડક છું કે હું ઈચ્છતો નથી કે ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય, કારણ કે જો તેમની પાસે પરમાણુ હથિયાર હશે તો તેઓ તેનો તરત ઉપયોગ કરશે. મને લાગે છે કે આ મુદ્દે તેઓ કદાચ થોડા નરમ છે, પરંતુ તે ઠીક છે.

ઈરાન પરમાણુ હથિયાર બનાવવા નજીક હતું કે નહીં?

ટ્રમ્પની સરકારે ઈરાનના પરમાણુ કાર્યક્રમની સ્થિતિ અંગે અલગ-અલગ અને પરસ્પર વિરોધાભાસી દાવા કર્યા છે. યુદ્ધ શરૂ થવા પહેલાં, સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવા માટે માત્ર થોડાં સપ્તાહ દૂર હતું. જોકે કેટલાક અન્ય અધિકારીઓ — જેમાં પોતે રાષ્ટ્રપતિ પણ સામેલ છે — એ કહ્યું હતું કે ગયા વર્ષે ઉનાળામાં થયેલા અમેરિકા-ઇઝરાયેલ અભિયાનમાં ઈરાનના હથિયાર કાર્યક્રમને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ, ઈરાન સતત દાવો કરતું રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે છે.



from chitralekha https://ift.tt/a3yZdbh
via

No comments:

Post a Comment

Pages