નેપાળની નવી સરકારમાં ગૃહમંત્રી તરીકે નિયુક્ત થયેલા સુદાન ગુરુંગે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ રાજીનામું આપ્યું છે. વિવાદાસ્પદ કારોબારી દીપક ભટ્ટની કંપનીઓ સાથે નાણાકીય સાંઠગાંઠ હોવાના અહેવાલો બાદ નેપાળની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. ગુરુંગે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તપાસ નિષ્પક્ષ રહે તે હેતુથી તેઓ પદ છોડી રહ્યા છે. નોંધનીય છે કે ગૃહમંત્રી બન્યા બાદ તેમણે પૂર્વ પીએમ કેપી ઓલી અને રમેશ લેખકની ધરપકડ કરાવીને સનસનાટી મચાવી હતી.

સુદાન ગુરુંગ પર લાગેલા આરોપો અત્યંત ચોંકાવનારા છે. નેપાળી અખબાર ઈ-કાંતિપુરના અહેવાલ અનુસાર, રાજકારણમાં પ્રવેશતા પહેલા ગુરુંગ ‘હામી નેપાળ’ નામના સામાજિક સંગઠનના વડા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આ સંગઠનને ફેબ્રુઆરી 2025 માં વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે સંકળાયેલી કંપનીઓના ખાતામાંથી આશરે 5 કરોડ રૂપિયા મળ્યા હતા. દીપક ભટ્ટ હાલમાં મની લોન્ડરિંગના ગંભીર કેસોમાં તપાસના ઘેરામાં છે. જ્યારે આ માહિતી સાર્વજનિક થઈ, ત્યારે પરિવર્તન અને સ્વચ્છ રાજનીતિના નામે સત્તામાં આવેલી ગુરુંગની પાર્ટી પર ભારે દબાણ આવ્યું હતું.
ગુરુંગે તેમના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, ‘હિતોનો સંઘર્ષ’ (Conflict of Interest) ટાળવા માટે તેઓ પદ છોડી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો તેઓ ગૃહમંત્રીના પદ પર રહેશે તો તપાસ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તપાસના અંતિમ પરિણામ બાદ જ તેઓ પોતાના રાજકીય ભવિષ્ય અંગે કોઈ નિર્ણય લેશે. બે દિવસ સુધી ચાલેલા પક્ષના આંતરિક વિખવાદ અને વધતા જતા જાહેર આક્રોશ બાદ આખરે ગુરુંગે આ આકરો નિર્ણય લેવો પડ્યો હતો.
from chitralekha https://ift.tt/aibcTny
via
No comments:
Post a Comment