સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા ભારતીય સુપરટેન્કર પર કરવામાં આવેલા ગોળીબારને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અંદાજે 20 લાખ બેરલ ઈરાકી તેલ લઈને જઈ રહેલા આ જહાજ પર હુમલો થતા ભારત સરકારે દિલ્હીમાં ઈરાની રાજદૂતને તલબ કર્યા છે. ઈરાને આ માર્ગ પર ફરીથી પૂર્ણ નાકેબંધી જાહેર કરી છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો અટવાઈ પડ્યો છે. આ ભૌગોલિક-રાજકીય તણાવને પગલે વિશ્વભરમાં કાચા તેલની કિંમતો વધવાની ભીતિ સેવાઈ રહી છે.

હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજ પર થયેલા ગોળીબારના મામલાએ હવે મોટું રાજદ્વારી સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટના પર કડક વાંધો ઉઠાવતા ઈરાનના રાજદૂતને દિલ્હીમાં તલબ કર્યા છે અને આ આક્રમક કાર્યવાહી અંગે સ્પષ્ટતા માંગી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાય છે.
શિપિંગ મોનિટર ‘ટેન્કરટ્રેકર્સ’ અને યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ, શનિવારે જ્યારે ભારતીય સુપરટેન્કર આશરે ૨૦ લાખ બેરલ ઈરાકી તેલ લઈને આ સાંકડા માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સની બે ગનબોટ્સે અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સદનસીબે, આ હુમલામાં જહાજ અને તેના ચાલક દળના સભ્યો સુરક્ષિત હોવાના અહેવાલ છે, પરંતુ સુરક્ષાના કારણોસર જહાજને પોતાનો રસ્તો બદલવાની અને પાછા હટવાની ફરજ પડી હતી.
from chitralekha https://ift.tt/kbpH8SC
via
No comments:
Post a Comment