તમિલનાડુની સત્તાના સૂત્રો હાથમાં લીધા બાદ મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે દેશની રાજધાની નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રથમ ઔપચારિક મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદી સાથેની આ તેમની પહેલી મુલાકાત હોવાથી રાજકીય વર્તુળોમાં આ બેઠક પર ભારે નજર હતી. આશરે 20 મિનિટ સુધી ચાલેલી આ ગંભીર ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી વિજયે તમિલનાડુના હિતોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓ વડાપ્રધાન સમક્ષ ઉઠાવ્યા હતા અને એક વિસ્તૃત આવેદનપત્રપણ સોંપ્યું હતું. આ બેઠકમાં મુખ્યત્વે કર્ણાટકના વિવાદાસ્પદ મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ અને તમિલનાડુના રાજ્ય ગીતનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.

‘અન્ય રાજ્યોની સંમતિ વિના મેકેદાતુ પ્રોજેક્ટને મંજૂરી ન આપો’
મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે પ્રધાનમંત્રી મોદીને વિનંતી કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુ, કેરળમ અને પુડુચેરીની લેખિત સંમતિ વિના કર્ણાટકના પ્રસ્તાવિત મેકેદાતુ ડેમ પ્રોજેક્ટને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં ન આવે. તેમણે આ વિનંતી પાછળ ત્રણેય રાજ્યોના કરોડો ખેડૂતોની આજીવિકા અને પાણીની સુરક્ષા અંગે ઊભી થનારી ગંભીર ચિંતાઓને મુખ્ય આધાર ગણાવી હતી.
મુખ્યમંત્રીએ પીએમ મોદી સમક્ષ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર દ્વારા મેકેદાતુ ડેમ પ્રોજેક્ટ માટે ભૂમિપૂજનનું આયોજન કરવાની જે જાહેરાત કરવામાં આવી છે, તે કાવેરી જળ વિવાદ ટ્રિબ્યુનલના (CWDT) અંતિમ ચુકાદા અને સુપ્રીમ કોર્ટના આદેશોનું સરેઆમ ઉલ્લંઘન છે.” તેમણે પીએમ મોદીને વિનંતી કરી કે તેઓ કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય અને કેન્દ્રીય જળ આયોગને (CWC) સ્પષ્ટ સૂચના આપે કે નીચલા પ્રદેશના રાજ્યોની સહમતિ વિના આ પ્રોજેક્ટને આગળ વધારવામાં ન આવે.
from chitralekha https://ift.tt/W6Q8qwA
via
No comments:
Post a Comment