રાજધાની દિલ્હીના હૌઝ રાની વિસ્તારમાં સર્જાયેલા કાળઝાળ અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 નિર્દોષ લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવીને હોટલના ફરાર માલિક લવકેશ બજાજની ધરપકડ કરી લીધી છે. દુર્ઘટના બાદ લવકેશ બજાજ અને તેની પત્ની દેશ છોડીને ભાગી ન જાય તે માટે પોલીસે અગાઉથી જ એરપોર્ટ પર લુકઆઉટ સર્ક્યુલર (LOC) જારી કરી દીધો હતો. ત્યારબાદ વિશેષ ટીમોની સઘન શોધખોળ બાદ આખરે આરોપી માલિકને દબોચી લેવાયો છે.

બુધવારે સવારે દક્ષિણ દિલ્હીના હૌઝ રાનીમાં આવેલી પાંચ માળની ‘ફ્લોરિસ સ્ટે બી એન્ડ બી’ (Flourish Stay B&B) હોટલને આગે ક્ષણભરમાં લપેટમાં લઈ લીધી હતી. હોટલની ખામીયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમોએ ભારે જહેમત બાદ કાચ તોડીને ડઝનબંધ લોકોને બહાર કાઢ્યા હતા.

દિલ્હી પોલીસના સત્તાવાર રિપોર્ટ અનુસાર, અગ્નિકાંડ બાદ કુલ 49 લોકોને ગંભીર હાલતમાં જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી સારવાર દરમિયાન 21 લોકોએ દમ તોડી દીધો હતો. અત્યંત ચોંકાવનારી વાત એ છે કે મૃતકોમાં 9 ભારતીય નાગરિકો અને 12 વિદેશી પ્રવાસીઓ સામેલ છે. હોસ્પિટલમાંથી 8 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના ઘાયલો હજુ પણ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
from chitralekha https://ift.tt/QHKLnB0
via
No comments:
Post a Comment