હાર્દિકને પાટીદાર સંસ્થાના વડીલોએ કરાવ્યા પારણાં

અમદાવાદઃ હાર્દિકે આજે પારણાં કરી લેવાનો નિર્ણય કરીને સમાજના વડાઓની વાતને માન્ય રાખી છે. ખોડલધામ અને ઉમિયા ધામના અગ્રણી નરેશ પટેલ અને, સીકે પટેલ, પ્રહલાદ પટેલનું ગ્રીનવૂડ રિસોર્ટમાં પાટીદારો અને હાર્દિકના સમર્થકો દ્વારા જય સરદાર-જય પાટીદારના નારા સાથે ભવ્ય સ્વાગત કર્યું. અગ્રણીઓએ હાર્દિકને સાથ આપીને હાર્દિકને ટેકો આપ્યો. હાર્દિકને સમાજના જાણીતા ચહેરાઓનું સમર્થન વધારવાની સાથે સરકાર સામે લડી લેવાની વાત કરી. હાર્દિકે પણ કહ્યું કે, હું સરકાર સામે ના ઝુકું પણ સમાજના વડીલો સામે જરુર ઝુકી શકું.
હાર્દિકનો ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય

હાર્દિકને પારણા કરવાવા માટે આવેલા ખોડલધામ, ઉમિયાધામ અને વિવિધ 6 સંસ્થાઓના વડાઓએ હાર્દિકને સાથ આપવાની સાથે કહ્યું કે, સંગઠીત રહેજો અને સૌ સાથે રહેજો. હાર્દિકને પારણાં કરાવવા માટે ઉપસ્થિત થયેલા પાટીદાર વડાઓએ જણાવ્યું કે, તમને તોડવા માટેના પ્રયાસ થશે પણ સંગઠીત રહેવાની જવાબદારી તમારી છે. નોંધનીય છેકે, આખારે 18 દિસના ઉપવાસ બાદ ઉપવાસના 19મા દિવસે હાર્દિકે પારણાં કરી લેવાનો નિર્ણય કર્યો હતો. પાસના કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક ઉપવાસ કરશે તેવી જાહેરાત કરી છે. હાર્દિક પટેલ આજે ત્રણ વાગ્યે સમાજના વડીલોના હાથે પારણાં કરશે. મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિકની તબીયત સારી થઈ જશે પછી ફરીથી સમાજ અને ખેડૂતો માટેની લડાઈ શરું કરવામાં આવશે. 18 દિવસના ઉપવાસ દરમિયાન તબીયત વધારે લથડવાના કારણે હાર્દિકને અમદાવાદની સોલા સિવિલ બાદ SGVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પારણાં પહેલા હાર્દિકનું ટ્વીટ
किसानों एवं समाज की कुलदेवी श्री उमिया माताजी मंदिर-उंझा और श्री खोड़ल माताजी मंदिर-क़ागवड के प्रमुख लोगों ने मुझे कहा कि तुम्हें ज़िंदा रहकर लड़ाई लड़नी हैं।सब का सम्मान करते हुए अनिश्चितकालिन उपवास आंदोलन के आज उन्नीसवें दिन दोपहर तीन बजे उपवास आंदोलन ख़त्म करूँगा— Hardik Patel (@HardikPatel_) September 12, 2018
વડીલોની વાતને હાર્દિકે માની

ઉલ્લેખનીય છે કે, 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકે પાટીદાર અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથિરિયાને છોડાવવાની માંગ સરકાર સમક્ષ મૂકીને ઉપવાસ આંદોલન શરું કર્યું હતું. જોકે, સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ના મળતા અને સમાજના અગ્રણીઓને ધ્યાનમાં રાખીને હાર્દિકે ઉપવાસ છોડવાનો નિર્ણય લીધો છે. મનોજ પનારાએ સરકારને તાનાશાહ સરકાર ગણાવીને વાત કરવાનો પણ પ્રયત્ન ન કરાયો હોવાના આક્ષેપ કર્યા છે.
આંદોલન ચાલું જ રહેશે

મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિકને મળવા માટે આવેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે પણ હાર્દિકને ઉપવાસ છોડીને લોકોની વચ્ચે, ખેડૂતોની વચ્ચે, ગામોમાં જઈને, રસ્તા પર ઉતરીને આંદોલન કરવાની સલાહ આપી હતી. પનારાએ કહ્યું કે, હરિશ રાવતે હાર્દિકે લોકોનો અવાજ બનવાની સલાહ આપી હતી. આ સાથે પનારાએ કહ્યું કે, અમે ફરીથી લોકોની વચ્ચે જઈશું અને અને રોડ પર ઉતરીને અમારી માગણી રજૂ કરીશું.
સરકાર સામે બાંયો ચઢાવશે પાસ

પાટીદાર અનામત મુદ્દે સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે ચાલી રહેલા ઘમાસાણ અંગે પાસે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકના પારણાંની વાત સાથે જણાવ્યું કે, આગામી સમયમાં અમે એવા આંદોલનો કરીશું કે લોકો સરકારને સવાલ કરશે કે પાટીદારોને અનામત ક્યારે મળશે. આ સાથે પનારાએ ગણેશ સ્થાપન સાથે સરકાર સામે બાંયો ચઢાવવાનો સંકલ્પ લેવા માટે પણ કહ્યું હતું. અલ્પેશ કથિરિયાને જેલમાંથી છોડાવવા માટે પણ સરકાર સામે આંદોલન કરવાની વાત પનારાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી છે.
સાથીદારોને પારણાં કરી લેવા સૂચન

પાસ દ્વારા હાર્દિકની સાથે રાજ્યભરમાં અલગ-અલગ જગ્યા પર ઉપવાસ પર બેઠેલા પાસના અને પાટીદાર સમાજના લોકોને આજે ત્રણ વાગ્યે હાર્દિકની સાથે પારણાં કરી લેવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે અગાઉ હાર્દિકે પણ હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને તેની સાથે ઉપવાસમાં સાથ આપી રહેલા લોકોને પારણાં કરી લેવાની સલાહ આપી હતી.
from I Am Gujarat https://ift.tt/2x8A7EU
No comments:
New comments are not allowed.