ગણપતિની પૂજામાં કરો આ વસ્તુઓનો ઉપયોગ

કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સૌથી પહેલા ગણપતિની સ્તુતિ સાથે કરવામાં આવે છે. ગણપતિની પૂજામાં કેટલીક વસ્તુઓનું ખાસ મહત્વ હોય છે, જેના વિના ગણેશ પૂજન અધૂરું માનવામાં આવે છે. 13 સપ્ટેમ્બરએ ગુરુવારે ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. એવામાં અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને પૂજામાં રોજ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે….
મોદક

ભગવાન ગણેશને લંબોદર પણ કહેવામાં આવે છે અને તેમને ભોગમાં મિષ્ઠાન શામેલ કરવું ખૂબ જ જરૂરી છે. મિષ્ઠાનમાં પણ ભગવાનને મોદક અતિ પ્રિય છે. રોજ મોદકનો ભોગ ગણપતિને જરૂર ધરાવો.
ધરો ઘાસ

ગણેશજીને ધરો ઘાસ પુષ્પોથી પણ વધારે પ્રિય છે. પૂજાના સમયે જ તાજો ધરો તોડીને ભગવાનને અર્પિત કરો. 3 અથવા 5 ફણગાવાળો ધરો જોઈને ચઢાવો.
ગલગોટાના ફૂલો

ફૂલોમાં ભગવાનને ગલગોટાના ફૂલો સૌથી વધારે પસંદ છે. જો તમે ગણેશ ચતુર્થી પર મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો રોજ ભગવાનને ગલગોટના ફૂલોથી બનેલી માળા ચઢાવો.
કેળા

ભગવાનને ફળોમાં સૌથી વધુ પ્રિય કેળા છે. ધ્યાન રહે કે કેળા હંમેશા જોડીમાં જ ચઢાવવા જોઈએ. કેળાનું એક ફળ પૂર્ણ માનવામાં નથી આવતું.
શંખ

ગણેશજીના ચાર હાથોમાંખી એકમાં તેમણે શંખ ધારણ કરેલો છે. ગણેશજીની પૂજામાં શંખ વગાડવો ખૂબ જ જરૂરી છે. આથી તેમની આરતી સમયે શંખની ધ્વનિનો પ્રયોગ કરવામાં આવે છે.
No comments:
New comments are not allowed.