Latest

Saturday, September 15, 2018

સ્વચ્છતા મિશનમાં 60 વર્ષમાં ન થઈ હોય તેવી સફાઈ 4 વર્ષમાં થઈ: મોદી

નવી દિલ્હી: પીએમ મોદીએ શનિવારે સ્વચ્છતા જ સેવા કેમ્પેઈનના કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે 4 વર્ષમાં જે લક્ષ્ય હાંસલ કર્યું છે, જે છેલ્લા 60 થી 70 વર્ષમાં નથી થઈ શક્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સામાન્ય જનતાની સાથે બોલિવૂડ મહાનયક અમિતાભ બચ્ચન અને ઉદ્યોગપતિ રતન ટાટા સાથે પણ વીડિયો કોન્ફ્રરન્સ મારફતે વાતચીત કરી હતી.

વડાપ્રધાને આધ્યાત્મિક ગુરૂ જગ્ગી વાસુદેવ સાથે પણ વાતચીત કરી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાને ITBP, શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. અમિતાભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અભિયાનનો શ્રેય આપતા કહ્યું હતું કે, જો મારી શકલ અને અકલથી સરકાર પ્રચાર કરાવી રહી છે તો તે પુરતું નથી. મને લાગતું હતું કે, આ કામ માટે વ્યક્તિગત રીતે પણ પ્રયાસ કરાવવા જોઈએ.

અમિતાભે આગળ ઉમેર્યું હતું કે, આ માટે અમે અમારી રીતે પણ કામ કર્યું. મુંબઈના વર્સોવા બીચ પર મેં કંઈક કરવાનો પ્રયાસ કર્યો. આ એક વ્યક્તિની ભાવના હતી કે તેને વિચાર્યું કે મારે સાફ સફાઈ કરવી છે અને તે આગળ આવ્યો તો લોકો એ પણ સાથ આપ્યો. મને લોકોએ કહ્યું હતું કે, ત્યાં સફાઈ માટે જમીન ખોદનારૂ મશીન નથી, મેં આ મશીન ખરીદીને આપ્યું. એટલું જ નહીં લોકોએ એ પણ કહ્યું કે, કચરો ઉઠાવવા માટે ટ્રેક્ટર નથી. વડાપ્રધાને અમિતાભનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તમે બે વર્ષ પહેલા હરિવંશ રાય બચ્ચનના જન્મ દિવસને સ્વચ્છતા સાથે જોડ્યો હતો. એક મહાન વ્યક્તિની મહાન પંક્તિઓ દ્વારા દેશને જોડવા બદલ હું તમારો આભાર વ્યક્ત કરૂ છું.
રતન ટાટાએ આ બાબતની વધારવાની હિમાયત
રતન ટાટાએ કહ્યું હતું કે, અમે ભવિષ્યમાં પણ સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલા રહીશું અને ટેક્નોલોજીના માધ્યમથી તેમાં કંઈક યોગદાન આપવાનો પ્રયાસ કરીશું. વડાપ્રધાને સ્વચ્છતાને લઈને ટાટા ગ્રુપના યોગદાનની પણ પ્રશંસા કરી. વડાપ્રધાને આસામના ડિબ્રુગઢ અને ગુજરાતના મહેસાણામાં સક્રિય સ્વચ્છાગ્રહિઓ સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી.
સ્વચ્છતા બાબતે 4 વર્ષમાં કરી 60 વર્ષ જેટલી પ્રગતિ
પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘સ્વચ્છતાનો વિસ્તાર જે એક સમયે 40 ટકા હતો, તે હવે 90 ટકા સુધીનો છે. કોણે વિચાર્યું હશે કે 4 વર્ષમાં અમે સ્વચ્છતા મામલે એટલી પ્રગતિ સાધીશું, જેટલી 60 થી 70 વર્ષોમાં નથી સધાઈ. કોઈએ નહોતુ વિચાર્યું કે, 4 જ વર્ષમાં દેશમાં 8 કરોડ શૌચાલય બની જશે. કોઈ એ કદાચ એ પણ વિચાર્યુ નહીં હોય કે, 4.5 લાખ ગામડાં, 450 જિલ્લાઓ તથા 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ખુલામાં શૌચક્રિયાથી મુક્ત થઈ શકે છે.
સ્વચ્છતાથી 3 લાખ લોકોના જીવન બચી જશે
વડાપ્રધાને કહ્યું હતું કે, આ બધું તમામ ભારતવાસીઓ અને સ્વચ્છાગ્રહિઓના પ્રયાસનું જ પરિણામ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે 3 લાખ લોકોનું જીવન સ્વચ્છતાના કારણે બચી જશે. પરંતુ માત્ર શૌચાલય બનાવવાથી ભારત સ્વચ્છ નહીં બની જાય. સ્વચ્છતા એક આદત છે, જેને દરરોજના અનુભવોમાં સમાવવી પડશે.


No comments:

Pages