Latest

Saturday, September 15, 2018

BPની તકલીફ હોય તો દવા લેવાને બદલે કરો આ ઘરેલુ ઉપચાર, તરત જ ફાયદો થશે

લસણના અનેક ફાયદાઃ


તીક્ષ્ણ ગંધ અને સ્વાદ ધરાવતા લસણનો ઉપયોગ આપણે રસોઈમાં વિવિધરૂપે કરીએ છીએ. રસોઈનો સ્વાદ વધારતુ લસણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે કુદરતી એન્ટિબેક્ટેરિયલ છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. લસણ લોહીને પાતળુ કરીને હૃદયના રોગથી પણ શરીરને રક્ષણ આપે છે. પેટની સમસ્યા માટે પણ લસણ અસરકારક છે.

હાઈ બ્લડ પ્રેશરમાં ફાયદાકારકઃ


લસણના અનેક ફાયદા તમને ખબર હશે પરંતુ શું તમે જાણો છો કે તે બ્લડ પ્રેશર માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણમાં વિશેષ પ્રકારનું સ્લફર હોય છે જેમાં એલિસિન નામનું તત્વ રહેલુ હોય છે. હાઈ બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટમાં આ તત્વ ખૂબ જ અસરકારક છે.

લસણમાં રહેલુ છે આ જાદુઈ તત્વઃ


લસણને જ્યારે આપણે ક્રશ કરીએ, સમારીએ કે ચાવીએ ત્યારે તેમાંથી એલિનેઝ નામનું ત્તવ છૂટુ પડે છે. તેની રાસાયણિક પ્રક્રિયા થઈને એલિસિન બને છે જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઘટાડવા માંગતા હોવ તો તમે નીચે જણાવેલી રીત મુજબ લસણ ખાઈ શકો છો.

કાચુ લસણઃ


દરરોજ કાચુ લસણ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે. લસણ ચાવીને ખાવાથી શરીરને મહત્તમ પ્રમાણમાં એલિસિન મળે છે. લસણ નિયમિત રૂપે ચાવીને ખાશો તો બ્લડ પ્રેશરની ચિંતા કરવાની જરૂર નહિં પડે.

ગાર્લિક પાવડરઃ


જો કાચુ લસણ ન ખાઈ શકતા હોવ તો ગાર્લિક પાવડરના સ્વરૂપે લસણને જમણમાં સ્થાન આપો. 600થી 900 મિલિગ્રામ લસણનો પાવડર ખાવાથી બ્લડ પ્રેશરમાં 9થી 12 ટકા જેટલો ઘટાડો થાય છે. 600 મિલિગ્રામ લસણના પાવડરમાં 3.6 મિલિગ્રામ જેટલું એલિસિન હોય છે જ્યારે 900 મિલિગ્રામ પાવડરમાં 5.4 મિલિગ્રામ એલિસિન હોય છે.

સલાડઃ


તમે તમારા ફેવરિટ સલાડમાં લસણની સ્લાઈસ નાંખી શકો છો. આ ઉપરાંત તમે લસણ છીણીને કે વાટીને પણ સલાડમાં ઉમેરી શકો છો. આમ કરવાથી તમારુ બ્લડ પ્રેશર કાબુમાં રહેશે.


No comments:

Pages