ભારત વિશે કેટલું જાણો છો?

લોકોને પોતાની સાથે જોડાયેલી બાબતોની પણ ચોક્કસ માહિતી નથી હોતી. આંગળીના ટેરવે બધી જ માહિતી હોવા છતાં આપણી પાસે દેશની પાયાની બાબતોની માહિતી ખોટી છે. ભારતમાં કેટલીક મહત્વની બાબતો જેવી કે મુસ્લિમોની વસ્તી અને પ્રવાસીઓની વસ્તી, ખુશ લોકોની સંખ્યા વગેરે અંગે ખોટી કે અધૂરી માહિતી છે. 2017માં 38 દેશોમાં સર્વે કરવામાં આવ્યો. પોતાના દેશના વિશે લોકોને પાયાની માહિતી વિશે ખોટી જાણકારી હોય તેવા દેશોમાં ભારતનો ક્રમ પાંચમો છે. વાંચો કઈ જાણકારી આપણી પાસે ખોટી છે…
મુસ્લિમોની વસ્તી

તમારા હિસાબે ભારતમાં મુસ્લિમોની વસ્તી કેટલી હોવી જોઈએ?: જો તમે પણ 27.8 ટકા વિચાર્યું હોય તો તમે ખોટા છો. ભારતમાં 14.2 ટકા મુસ્લિમ વસ્તી છે.
પ્રવાસીઓની વસ્તી

તમારા મતે ભારતમાં પ્રવાસીઓની વસ્તી કેટલી છે?: છેલ્લા થોડા વર્ષોથી દેશમાં ગેરકાનૂની રીતે રહેતા લોકોની ઓળખ માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવાયું સાથે અસમમાં NCRનો મુદ્દો ચર્ચામાં છે. એટલે જ કદાચ દેશમાં પ્રવાસીઓની સંખ્યાને લઈને ખોટું અનુમાન છે.
ભારતમાં વિદેશી કેદી

મોટી સંખ્યામાં વિદેશી કેદી પશ્ચિમ બંગાળની જેલમાં બંધ છે. જેમાં બાંગ્લાદેશીઓની સંખ્યા વધારે છે. ભારતીય જેલમાં બંધ વિદેશી કેદીઓમાં નાઈઝિરિયા, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાનના કેદીઓનો સમાવેશ થાય છે.
હત્યાનો દર

2000ના વર્ષ બાદ હત્યાના દરમાં 30 ટકા ઘટાડો થયો છે. પરંતુ મહિલાઓ અને બાળકો સામેની હિંસાના હાઈપ્રોફાઈલ કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકો દેશમાં હત્યાના રેટને લઈને ખોટું અનુમાન લગાવી રહ્યા છે.
બાળ વિવાહ

ઘણી પેઢીઓ સુધી નાની ઉંમરે છોકરીઓના લગ્ન કરાવી દેવાતા હતા. જો કે સાક્ષરતા વધતાં બાળ વિવાહનો દર ઘટ્યો છે.
સ્થૂળતાની સમસ્યા

તમારા મતે દેશમાં 20 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના કેટલા લોકો સ્થૂળ છે?: ભારતમાં ઓબેસિટી એટલી નથી જેટલો અંદાજો લગાવાય છે.
ફેસબુક અકાઉન્ટ

સોશિયલ મીડિયા અને ઈંટરનેટના ઉપયોગના આંકડાને વધારીને રજૂ કરવામાં આવે છે. હકીકત શું છે તે તસવીરમાં જોઈ શકાય છે.
નાણાંનું અસમાન વિતરણ

ભારતમાં આવકની અસમાનતા ખૂબ છે. દેશનું મોટાભાગનું નાણું આંગળીને વેઢે ગણાય તેટલા લોકો પાસે છે.
ખુશ જીવનશૈલી

આટલા ટકા ભારતીયો ખરેખર ખુશ છે.
No comments:
New comments are not allowed.