Latest

Tuesday, September 18, 2018

સ્વસ્થ રહેવા માટે શા માટે પીવું જોઇએ દૂધ અને ઘી?

ઘી આયુર્વેદિક ફૂડ


એક એવી માન્યતા હોય છે કે ઘી અને દૂઘ ફેટી ફૂડ છે. પરંતુ, ઘી અને દૂધ શરીરને સ્વસ્થ રાખવા માટે સૌથી શ્રેષ્ઠ ખોરાક છે. ઘીને આયુર્વેદિક ફૂડ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર ઘી પરંપરાગત ભોજનનો એક મહત્ત્વનો ભાગ છે. લાંબા આયુષ્ય માટે ઘી ટોનિકનું કામ કરે છે તો ક્યારેક દવાના સ્થાને પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયના દૂધનું ઘી શરીરના કોષને વેગ આપે છે અને સ્વસ્થ રાખે છે અને કોષને ચેપ લાગવાનું જોખમ ઓછુ રહે છે. કુદરતી ઘી હોવાને કારણે તેમાં ક્યારેય ફૂગ લાગતી નથી. ફેટી એસિડ અને લોહતત્વોને કરાણે ઘીને સુપરફૂડની ઉપમા આપવામાં આવી છે. પ્રાચીન સમયમાં વૈદ ડાયેટ ફૂડમાં દૂધ અને ઘી સાથે લેવાની સલાહ આપતા. કારણ કે રાજા અને સૈનિકોના શરીરમાં શક્તિ અને ક્ષમતા વધારવાનું કામ ઘીનું હતું.

પાચનશક્તિમાં વઘારો કરે છે


દૂધ અને ઘીનું કોમ્બિનેશન શરીરની પાચનશક્તિમાં વધારો કરે છે અને શરીરની ઊર્જામાં વધારો કરે છે. આ ઉપરાંત પાચન માટેના રસાયણો ઉત્પન્ન કરવામાં પણ ઘી મહત્ત્વનો ભાગ ભજવે છે. જે લોકોને કબજીયાત હોય કે પાચનશક્તિ નબળી હોય તેમના ઘી સરળ પાચક છે. પરંતુ, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ઘી શરીર માટે શ્રેષ્ઠ કામ કરે છે. ખાસ કરીને જ્યારે કોઇ ચેપ લાગ્યો ત્યારે ઘી પાચનશક્તિને ચેપમુક્ત કરવાનું કામ કરે છે.

મેટાબોલિઝમ વધારે છે


દૂધ અને ઘી શરીરમાં મેટાબોલિઝમ વધારે છે. ઘી શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે અને શરીરને સ્ટ્રેન્થ આપે છે. જ્યારે દૂધ પાચક પ્રવાહી હોવાથી પાચનક્રિયામાં મદદ કરે છે. આ ઉપરાંત ઘી શરીરના બિનજરૂરી ઝેરી રસાયણને દૂર કરીને કોષને રોગમુક્ત કરે છે. શરીરના કોષ જેટલા રોગમુક્ત એટલું જ શરીર સ્વસ્થ.

સાંઘાના દૂખાવાની સારવાર માટે ઘી શ્રેષ્ઠ


શરીરના કોઇ પણ સાંધાના દુખાવા માટે ઘીનું સેવન સૌથી શ્રેષ્ઠ છે. દૂધ અને ઘી શરીરના સાંધાને દુખાવાથી મુક્ત કરે છે. સાંઘાના દુખાવામાં ઘી વાહનમાં ઓઇલ જેવું કામ કરે છે. દુખાવામાંથી મુક્તિ અને સતત સક્રિય રાખે છે. ખાસ કરીને સાંધામાં થતી બળતરાને દૂર કરવામાં ઘી દવાનું કામ કરે છે. જ્યારે દૂધ હાડકાની મજબૂતીમાં વધારો કરે છે. જ્યારે પણ દુખાવો થાય ત્યારે એક ચમચી ઘી અને એક ગ્લાસ દૂધનું સેવન સાંધાના દુખાવાને કાયમી દૂર કરે છે.

સ્ટેમિના વધારે છે


સતત થાક, શરીરમાં દુખાવો, કળતર કે બળતરા થતી હોય તો દૂઘ અને ઘી બેસ્ટ ફૂડ છે. દૂધ અને ઘી શરીરની સ્ટેમિનામાં વધારો કરે છે. શારીરિક પ્રવૃતિઓમાં જોશ રેડવા માટે ઘી અને દૂઘ એક પ્રોટિન પાઉડર સમાન કામ કરે છે. હાડકાની મજબુતી માટે દૂધ અને શરીરમાં સ્ટ્રેન્થ માટે ઘી એક એનર્જી ડાયેટ સમાન છે.

સેક્સ લાઇફને સ્વસ્થ રાખે


સેક્સોલોજીસ્ટના જણાવ્યા પ્રમાણે દૂધ અને ઘી સેક્સ લાઇફને પણ સ્વસ્થ રાખે છે. દૂધ અને ઘીના સેવનથી પર્ફોમન્સમાં પણ સારી અસર થાય છે. સેક્સ ડ્રાઇવ વધારવામાં, સેક્સ્યુઅલ સ્ટેમિનામાં વધારો કરવા અને વીર્યના ઉત્પાદનમાં ઘી મહત્ત્વનું કામ કરે છે. સેક્સ દરમિયાન શરીરના વધી જતા તાપમાનને અંકુશમાં રાખવા માટે દૂધ અગત્યનું કામ કરે છે. આનંદમાં વધારો કરવામાં ઘી વાયગ્રા સમાન છે. શીધ્ર સ્ખલન કે ફોરપ્લેમાં વધારો કરવા માટે ઘી બેસ્ટ છે. જ્યારે દૂઘ સ્ટેમિનામાં વધારો કરે છે.

અનિંદ્રાથી છૂટકારો


દરરોજ રાત્રે ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંધ આવે છે. દૂધ અનિદ્રાથી છૂટકારો અપાવે છે. ખાસ કરીને આજની પેઢીમાં અનિદ્રાનો રોગ જોવા મળે છે ત્યારે દૂધ અને ધી અનિદ્રાના રોગથી મુક્તિ આપે છે. દૂઘ અને ઘીના સેવનથી ઊંઘ સારી આવે છે તેથી કોઇ રસાયણયુક્ત ઊંઘની ગોળી લેવી પડતી નથી. એક ચમચી ઘી અને 300ML દૂઘ ગાઢ ઊંધ બક્ષે છે.

ચામડીને સ્વસ્થ રાખવા માટે


દૂધ અને ઘીથી ચામડીને રક્ષણ મળે છે. ખાસ કરીને સુકી ત્વચા માટે, ખરબચડી ચામડી માટે અને જટીલ ચામડી માટે દૂધ અને ઘી ફેસપેક જેવું કામ કરે છે. ખાસ કરીને શિયાળા અને ઉનાળામાં દૂઘ અને ઘી ચામડીને સ્વસ્થ રાખે છે. ચામડીની કેર કરવા માટેનો આ ઘરબેઠો ઉપચાર છે.

યાદશક્તિમાં વધારો કરે છે


દૂધ અને ઘી યાદશક્તિમાં પણ વધારો કરે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વાત છે કે, વિદ્યાર્થીઓ માટે દૂધ અને ઘી મેમરી પાવર વધારનારું તત્વ છે. ઘી દિમાગને તેજ બનાવે છે. શરીરની મજબુતીમાં નાનપણથી જ વધારો કરે છે. દિમાગની નસને સતત સક્રિય રાખવામાં દૂઘ મહત્ત્વનો ભાગ ભજવે છે.

ગર્ભવતી મહિલાના બાળક માટે અતિઉપયોગી


દૂધ અને ઘી ગર્ભવતી મહિલાના ગર્ભમાં આકાર લેતા બાળક માટે અતિઉપયોગી છે. દૂધ અને ઘી ગર્ભમાં ઉછરતા બાળકના હાડકાને મજબૂત કરે છે. જ્યારે ઘી બાળકના દિમાગને તેજ કરે છે, યાદશક્તિમાં વધારો કરે છે. ગર્ભવતી મહિલાઓએ હેલ્થી બેબીબોર્ન માટે દૂધ અને ઘીનું સેવન કરવું જોઇએ. તબીબો પણ આ સલાહ આપે છે.

વજન વધારે છે


દૂબળા પાતળા લોકો માટે દૂઘ અને ઘી વજન વધારવાનું કામ કરે છે. શરીરને આકાર આપે છે.દરરોજ રાત્રે દૂધ પીવાથી શરીરના માસને મજબૂતી મળે છે. વજન પણ વધે છે જ્યારે ઘી શરીરના ઉપયોગી ફેટમાં વઘારો કરે છે. જે ફેટ શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે. ખાસ કરીને વર્કઆઉટ કરતા લોકો માટે આ એક પ્રોટિન ટોનિક છે. પરંતુ, જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય એ લોકોએ ઘી નું સેવન ન કરવું જોઇએ. આ ઉપરાંત જે લોકો દરરોજ વર્કઆઉટ કરે છે તેઓએ એક ચમચીથી વધારે ઘી ન ખાવું જોઇએ.

No comments:

Pages