Latest

Saturday, September 15, 2018

શું તમે પાણીપુરી ખાવાના ફાયદા જાણો છો? વજન ઉતારવામાં છે મદદરુપ

પાણીપુરીના શોખીન છો?

પાણીપુરીનું નામ સાંભળીને જ મોટાભાગના લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. જો કે બહારની પાણીપુરીમાં સ્વચ્છતા બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય તેવા કિસ્સા તમે અનેકવાર સાંભળ્યા હશે. પરંતુ પાણીપુરીના શોખીનો ઓછા નથી થતા.

વધારે પડતી નુકસાનકારક


એક વાત દરેક વ્યક્તિએ ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે, કોઈ પણ વસ્તુ માપમાં હોય તો તે યોગ્ય છે. કોઈ પણ વસ્તુનું તમે વધારે પડતા પ્રમાણમાં સેવન કરો તો તે નુકસાનકારક સાબિત થાય છે. પાણીપુરી માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. તમે જો માપમાં પાણીપુરી ખાશો તો તે પણ ફાયદાકારક સાબિત થશે.

ચટાકેદાર પાણી


સૌથી મોટો ફાયદો એ છે કે પાણીપુરી તમારી પાચનક્રિયા નથી બગાડતી. પાણીપુરીમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા મસાલા તમારી પાચનક્રિયા માટે ફાયદાકારક છે. પાણીપુરીનું ચટાકેદાર પાણી એવા મસાલાઓથી તૈયાર થાય છે જે એસિડિટી અને પેટમાં દુ:ખાવા જેવી સમસ્યાઓનો નાશ કરે છે.

દેશભરમાં અલગ અલગ નામ


દેશભરમાં પાણીપુરીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પાણીપુરી, હરિયાણામાં પતાશા, મધ્યપ્રદેશમાં પાણી પતાશા, ઉત્તરપ્રદેશમાં પડાકા અથવા પગોલગપ્પા, બિહારમાં ફુલ્કી, પશ્ચિમ બંગાળમાં પુચકા, ઓરિસ્સામાં ગુપચુપ અને ગુજરાતમાં પકોડી.
વાંચો, પાણીપુરીના દિવાના હશો તો પણ આ વાત નહીં જાણતા હોવ

વજનમાં ઘટાડો


જો પાણીપુરીના પાણીને થોડી સાવધાનીથી બનાવવામાં આવે તો તે વધતા વજનની સમસ્યામાં રાહત અપાવી શકે છે. પાણીમાં મીઠું બની શકે તો ન નાખો. ફુદીનો, હીંગ, લીંબુ તેમજ કાચી કેરી મિક્સ કરો. પાણીમાં ટમેટાનો ઉપયોગ ન કરો તો પણ સારું રહેશે. આ સિવાય પુરીને પણ થોડી ઓછી તળો.

મોઢામાં છાલા પડ્યા છે?


પાણીપુરીના ચટાકેદાર પાણીનો તીખો અને ખાટો સ્વાદ મોઢામાં પડેલા છાલામાં રાહત અપાવવાનું કામ કરે છે. તેમાં જલજીરા, ફુદીનો અને આમલી હોય છે. આની તીખાશ અને ખટાશ પેટ સાફ કરવામાં મદદ કરે છે.
વાંચો, આ રીતે ઘરે જ બનાવો પાણીપુરીનું ટેસ્ટી અને હાઈજેનિક પાણી

એસિડિટી


ઘણાં લોકોને ટ્રાવેલિંગ દરમિયાન બંધ બંધ વાતાવરણમાં ગભરામણ થતી હોય છે. આવી સ્થિતિમાં 3-4 પકોડી ખાઈ લેવાથી રાહત મળશે. ઉનાળામાં તરસ વધારે લાગે છે અને થાક પણ વહેલો લાગે છે. આવી સ્થિતિમાં માત્ર પાણી પીવાના બદલે થોડી પાણીપુરી ખાઈ લો. પાણીપુરી ખાધા પછી પાણી પીવાથી તમને ફ્રેશ ફીલ થશે.

ક્યારે ખાવી?


કસરત કરતા પહેલા અથવા પછી પકોડી ખાવાનું ટાળો. પાણીપુરી ખાવાનો બેસ્ટ ટાઈમ બપોરનો સમય છે. સાંજના સમયે અથવા મોડી રાતે પાણીપુરી કાવાથી વજન વધવાની શક્યતા વધી જાય છે.
વાંચો, એક અઠવાડિયું રોજ ડિનરમાં પાણીપૂરી ખાધી, પછી જુઓ શું થયું?

કેવી પુરી બનાવવી?


રવાથી બનાવવામાં આવેલી પુરી ખાવાનું ટાળો, બની શકે ત્યાં સુધી લોટની બનેલી પુરી ખાઓ. આ સિવાય તેમાં નાખવામાં આવતા મસાલામાં વટાણાના સ્થાને મગ અથવા ચણાની દાળનો ઉપયોગ વધારે ફાયદાકારક સાબિત થશે.
વાંચો, આ રીતે ઘરે બનાવો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી

No comments:

Pages