જૂની અને પરંપરાગત પદ્ધતિ

મુંબઈ- ભારતમાં સૌથી વધારે લોકોનાં મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે. એક ડેટા અનુસાર દેશમાં દર વર્ષે લગભગ 1.7 મિલિયન લોકોનું મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે. આ સ્થિતિમાં ગ્રામીણ ડોક્ટર્સ જૂની અને પરંપરાગત પદ્ધતિને ફરીથી જીવંત કરવા માંગે છે, જેમાં દર્દીનું ધ્યાનથી નીરિક્ષણ કરીને જ ડોક્ટર તેની સમસ્યા સમજી જતા હતા.
888 દર્દીઓની સારવાર

મુંબઈથી લગભગ 160 કિલોમીટર દૂર આવેલા મહાડમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર હિંમતરાઓ ભાવસ્કર જણાવે છે કે, Diagonal earlobe crease(DELC) એક એવી પદ્ધતિ છે જેમાં હૃદયરોગને ઓળખી શકાય છે. તેમણે લગભગ 888 દર્દીઓની સારવાર કરી છે, જેમને ડાયાબિટિસ અને હાયપરટેન્શન જેવી બીમારીઓ હતી અને જાણવા મળ્યું છે કે 95 ટકા દર્દીઓ જેમના કાનની બૂટમાં કરચલી હતી તેમને હૃદયને લગતી બીમારી હતી. તે જણાવે છે કે, 888 દર્દીઓમાંથી 508ના કાનમાં કરચલી હતી.
હૃદય રોગ

ઈઅર-ક્રીઝ થિયરી નવી નથી. હાઈ સેન્સિટિવિટી બ્લડ ટેસ્ટ્સ, CT વગેરેની શોધ થઈ તે પહેલા અમેરિકન ડોક્ટર સેન્ટર્સ ટી. ફ્રેન્કે આ થિયરીની શોધ કરી હતી. જેજે હોસ્પિટલના ગ્રાન્ટ મેડિકલ કોલેજના પૂર્વ પ્રોફેસર ડોક્ટર અલ્તાફ પટેલ જણાવે છે કે, કાનની બૂટ અને હૃદય રોગ સાથે કનેક્શન હોય છે. જેમ જેમ ઉંમર વધે તેમ બ્લડ પ્રેશર વધે છે અને ફેટ ટિશ્યુસને કારણે કાનની બૂટ પર કરચલી બને છે. મોટાભાગના લોકોને 50 અને 60 વર્ષની ઉંમર પછી આ સમસ્યા થાય છે.
No comments:
New comments are not allowed.