નવી દિલ્હી: દારૂના વેપારી વિજય માલ્યાના પ્રત્યર્પણ મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ એક સ્ટેટમેન્ટ આપીને ધમાકો કરી દીધો છે. માલ્યાએ કહ્યું કે, તે ભારત છોડતા પહેલા નાણાંમંત્રીને મળીને આવ્યો હતો. માલ્યાએ કહ્યું કે, ‘તે સેટલમેન્ટને લઈને નાણાંમંત્રીને મળ્યો હતો, પરંતુ બેંકોએ મારા સેટલમેન્ટના પ્લાન સામે સવાલ ઊભા કર્યા.’ માલ્યાએ કહ્યું કે, તે પોતાનું દેવું ચૂકવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, લંડન સ્થિત વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારતના અધિકારીઓએ મુંબઈની આર્થર રોડ જેલમં માલ્યાને રાખવા માટે તૈયાર સેલનો વીડિયો રજૂ કર્યો હતો.
કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણાંમંત્રી સાથે મુલાકાતને લઈને સવાલ પૂછ્યો તો માલ્યાએ કહ્યું કે, તે આ મીટિંગ વિશે વિસ્તારથી જાણકારી નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે, જે સમયે માલ્યા દેશ છોડીને ગયો, એ સમયે અરૂણ જેટલી નાણાંમંત્રી હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, તે કોર્ટમાં બતાવાયેલા જેલના વીડિયોને જોઈને પ્રભાવિત છે. માલ્યાએ કહ્યું કે, પોતાના દેવાને સેટલ કરવા માટે તેમણે બેંકોને ઘણી વખત પત્ર લખ્યા હતા, પરંતુ બેંકોએ તેમના પત્રો પર સવાલ ઊભા કર્યા હતા.
માલ્યાએ કહ્યું કે, નિશ્વિત રીતે તેના પર જે આરોપ લાગ્યા છે, તેની સાથે તે સંમંત નથી. તે ઉપરાંત આ અંગે કોર્ટ જ આખરી નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, માલ્યાએ કહ્યું હતું કે, ભારતીય જેલોની હાલત ઘણી ખરાબ છે, એટલે તેને ભારતને સોંપવામાં ન આવે. પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ બ્રિટિશ કોર્ટએ ભારતીય અધિકારીઓને જેલનો વીડિયો રજૂ કરવા કહ્યું હતું.
માલ્યા માટે ચમકાવાઈ બેરેક
મુંબઈની આર્થર રોડ જેલની 12 નંબરની બેરેકને જેલ તંત્રએ કંઈક એવી રીતે સજાવી કે દેશ તો શું દુનિયાના લોકો તેની સફાઈ અને વ્યવસ્થાની પ્રશંસા કરે. કહેવામાં આવી રહ્યું છે કે, ભાગેડુ વેપારી વિજય માલ્યા તરફથી લંડનમાં ભારતની જેલોની સ્થિતિ ખરાબ હોવાના તર્કનો છેદ ઉડાડવા માટે આ મુજબ કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, બુધવારે લંડનની કોર્ટમાં ભારતીય એજન્સીઓએ જેલની આ બેરેકનો વીડિયો બતાવ્યો.
ફેંસલાની શું થશે અસર?
વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટનો ફેંસલો શું આવશે, તે ભારતીય પક્ષ અને માલ્યા, બંને માટે મહત્વનું છે. જો કોર્ટ માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપે છે, તો તે પછી મામલો બ્રિટનના હોમ ડિપાર્ટમેન્ટ પાસે જશે. જ્યાંથી માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી પર અંતિમ નિર્ણય થશે. જો ફેસલો માલ્યાની વિરુદ્ધ આવે છે તો તે ઉપલી કોર્ટમાં તેને પડકારી પણ શકે છે.
કિંગફિશર એરલાઈન્સના 62 વર્ષના ચીફ ગત વર્ષે એપ્રિલમાં જારી પ્રત્યર્પણ વોરંટ બાદથી જામીન પર છે. તેના પર ભારતમાં લગભગ 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ પહેલા જુલાઈમાં વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જજ એમા અર્બુથનાટે કહ્યું હતું કે, ‘આશંકા’ઓને દૂર કરવા માટે ‘ભારતીય અધિકારી આર્થર રોડ જેલની બેરેક નંબર 12નો વીડિયો’ જમા કરે.
ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ) સમક્ષ અપીલ કરાઈ હતી અને વીડિયો માટે કોર્ટમાં તૈયારી બતાવી હતી. વીડિયો કોર્ટમાં જમા કરી દેવાયો છે. માલ્યાનો બચાવ કરતા વકીલોએ જેલના નિરીક્ષણની માંગ કરી હતી, જેથી એ સુનિશ્વિત કરી શકાય કે, પ્રત્યર્પણ પ્રક્રિયા બ્રિટનના માનવાધિકાર સંબંધી વચનને પુરું કરે છે.
કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારોએ જ્યારે નાણાંમંત્રી સાથે મુલાકાતને લઈને સવાલ પૂછ્યો તો માલ્યાએ કહ્યું કે, તે આ મીટિંગ વિશે વિસ્તારથી જાણકારી નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે, જે સમયે માલ્યા દેશ છોડીને ગયો, એ સમયે અરૂણ જેટલી નાણાંમંત્રી હતા. વાતચીત દરમિયાન માલ્યાએ કહ્યું કે, તે કોર્ટમાં બતાવાયેલા જેલના વીડિયોને જોઈને પ્રભાવિત છે. માલ્યાએ કહ્યું કે, પોતાના દેવાને સેટલ કરવા માટે તેમણે બેંકોને ઘણી વખત પત્ર લખ્યા હતા, પરંતુ બેંકોએ તેમના પત્રો પર સવાલ ઊભા કર્યા હતા.
#WATCH "I met the Finance Minister before I left, repeated my offer to settle with the banks", says Vijay Mallya outside London's Westminster Magistrates' Court pic.twitter.com/5wvLYItPQf— ANI (@ANI) September 12, 2018
માલ્યાએ કહ્યું કે, નિશ્વિત રીતે તેના પર જે આરોપ લાગ્યા છે, તેની સાથે તે સંમંત નથી. તે ઉપરાંત આ અંગે કોર્ટ જ આખરી નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, માલ્યાએ કહ્યું હતું કે, ભારતીય જેલોની હાલત ઘણી ખરાબ છે, એટલે તેને ભારતને સોંપવામાં ન આવે. પ્રત્યર્પણથી બચવા માટે માલ્યાની આ દલીલ બાદ બ્રિટિશ કોર્ટએ ભારતીય અધિકારીઓને જેલનો વીડિયો રજૂ કરવા કહ્યું હતું.
માલ્યા માટે ચમકાવાઈ બેરેક
મુંબઈની આર્થર રોડ જેલની 12 નંબરની બેરેકને જેલ તંત્રએ કંઈક એવી રીતે સજાવી કે દેશ તો શું દુનિયાના લોકો તેની સફાઈ અને વ્યવસ્થાની પ્રશંસા કરે. કહેવામાં આવી રહ્યું છે કે, ભાગેડુ વેપારી વિજય માલ્યા તરફથી લંડનમાં ભારતની જેલોની સ્થિતિ ખરાબ હોવાના તર્કનો છેદ ઉડાડવા માટે આ મુજબ કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, બુધવારે લંડનની કોર્ટમાં ભારતીય એજન્સીઓએ જેલની આ બેરેકનો વીડિયો બતાવ્યો.
ફેંસલાની શું થશે અસર?
વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટનો ફેંસલો શું આવશે, તે ભારતીય પક્ષ અને માલ્યા, બંને માટે મહત્વનું છે. જો કોર્ટ માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપે છે, તો તે પછી મામલો બ્રિટનના હોમ ડિપાર્ટમેન્ટ પાસે જશે. જ્યાંથી માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી પર અંતિમ નિર્ણય થશે. જો ફેસલો માલ્યાની વિરુદ્ધ આવે છે તો તે ઉપલી કોર્ટમાં તેને પડકારી પણ શકે છે.
કિંગફિશર એરલાઈન્સના 62 વર્ષના ચીફ ગત વર્ષે એપ્રિલમાં જારી પ્રત્યર્પણ વોરંટ બાદથી જામીન પર છે. તેના પર ભારતમાં લગભગ 9 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ પહેલા જુલાઈમાં વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જજ એમા અર્બુથનાટે કહ્યું હતું કે, ‘આશંકા’ઓને દૂર કરવા માટે ‘ભારતીય અધિકારી આર્થર રોડ જેલની બેરેક નંબર 12નો વીડિયો’ જમા કરે.
ભારત સરકાર તરફથી ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ) સમક્ષ અપીલ કરાઈ હતી અને વીડિયો માટે કોર્ટમાં તૈયારી બતાવી હતી. વીડિયો કોર્ટમાં જમા કરી દેવાયો છે. માલ્યાનો બચાવ કરતા વકીલોએ જેલના નિરીક્ષણની માંગ કરી હતી, જેથી એ સુનિશ્વિત કરી શકાય કે, પ્રત્યર્પણ પ્રક્રિયા બ્રિટનના માનવાધિકાર સંબંધી વચનને પુરું કરે છે.
No comments:
New comments are not allowed.