Latest

Thursday, November 15, 2018

બેંકના મેસેજને અવગણતા નહીં, હકીકતમાં 1 જાન્યુ.થી નહીં ચાલે આવા ડેબિટ-ક્રેડિટ કાર્ડ

શું તમને પણ આવો મેસેજ આવ્યો છે?

આજકાલ ઘણા લોકોને બેન્ક દ્વારા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે કે જેમની પાસે જૂના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેઓ પોતાના કાર્ડ અપગ્રેડ કરાવે અન્યથા ડિસેમ્બર 31, 2018 પછી આવા કાર્ડની સેવા બંધ થઈ જશે. આ વાચીને તમને પણ ચિંતા થતી હોય તો પહેલા જાણી લ્યો કે જેમની પાસે જૂના ચિપ વગરના કાર્ડ છે તેમની જ સેવા બંધ કરવામાં આવશે. જો તમારી પાસે આવું કાર્ડ હોય તો આ મેસેજને અવગણવો એન્ડ સમયે દોડાદોડી કરાવી શકે છે.

શા માટે જૂના કાર્ડ કરાઈ રહ્યા છે રિપ્લેસ

હવે તમને થતું હશે કે અચાનક શા માટે જૂના ડેબિટ કે ક્રેડિટ કાર્ડને રિપ્લેસ કરવામાં આવે છે અને તેવું એક ગ્રાહક તરીકે શા માટે તમારે કરવું જોઇએ, તો તમને જણાવી દઇએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દરેક બેન્કને નિર્દેશ આપવામાં આવ્યા છે કે 31 ડિસેમ્બર પહેલા તમામ એકાઉન્ટ હોલ્ડરના ડેબિટ અને ક્રેડિટ કાર્ડને બદલીને તેની જગ્યાએ નવા ચિપ બેઝ્ડ કાર્ડ ઈશ્યુ કરવામાં આવે. આ તારીખ પછી સિસ્ટમમાંથી જ જૂના કાર્ડ કામ કરતા બંધ કરી દેવામાં આવશે.

ફ્રોડથી બચાવવા માટે આ પગલું

RBI દ્વારા બેન્કોને આ નિર્દેશ આપવા પાછળનો હેતુ ઓનલાઇન ફ્રોડ, ATN ફ્રોડ, ગેરકાયદે ટ્રાન્ઝેક્શન જેવા ભયથી એકાઉન્ટ હોલ્ડરને બચાવવાનો છે. બેન્કમાં રહેલા રુપિયા સુરક્ષિત હોવા જોઇએ જેની જવાબદારી બેન્કની છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડેબિટ અને ક્રેડિટ પાયરસીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા નવા ચિપ બેસ્ડ કાર્ડ્સ બહાર પાડવામાં આવ્યા છે. જે તમારા પૈસા અને ટ્રાન્ઝેક્શનને સેફ રાખશે.

EVM ચિપવાળા કાર્ડ છે વધારે સુરક્ષિત

એટીએમ કાર્ડનું ક્લોન બનાવીને ગ્રાહકો સાથે જે છેતરપંડી થઇ રહી હતી, જેમાં RBIના જાણાવ્યા મુજબ મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડ જૂની ટેક્નિક થઇ ચૂકી છે અને તે સુરક્ષિત પણ નથી. જેના કારણે તેને બંધ કરવામાં આવી રહી છે. તેના સ્થાને EMV ચિપ કાર્ડને તૈયાર કરવામાં આવ્યા છે. આવા ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ જૂના કાર્ડની સરખામણીએ વધારે સુરક્ષિત છે.

કેવું હોય છે EVM ચિપ કાર્ડ

આ નવા કાર્ડમાં એક નાની ચિપ લાગેલી હશે, જેમાં તમારા ખાતાની તમામ માહિતી હશે. આ જાણકારી ઇનક્રિપ્ટેડ હોય છે, જેથી કોઇ તેના ડેટાને ચોરી શકતું નથી. ઇવીએમ ચિપવાળા કાર્ડમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન યુઝરની ઓળખ કરવા માટે એક યુનિક ટ્રાન્ઝેક્શન કોડ જનરેટ થાય છે. જે વેરિફિકેશનને સપોર્ટ કરે છે, જ્યારે મેગ્નેટિક સ્ટ્રાઇપ કાર્ડમાં આ વધારાનું સિક્યોરિટી ફિચર શક્ય નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2TbgqGN

No comments:

Post a Comment

Pages