Latest

Monday, November 5, 2018

‘રંગીલા રાજા’ ફિલ્મમાં 20 કટ, હાઈકોર્ટ પહોંચ્યા પહલાજ નિહલાની

રંગીલા રાજામાં 20 સીન કાપવા પડશે!


સેન્સર બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા અને જ્યારે સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા તે સમયે ફિલ્મો પર સેન્સરશિપ લાદવા અને તેમાં કટ કરાવવા માટે જાણીતા પહલાજ નિહલાનીની આગામી ફિલ્મ પર જ્યારે હવે વર્તમાન સેન્સર બોર્ડે કેટલાંક સીન કટ કરવાનું કહ્યું છે તે તેમને પસંદ આવ્યું નથી. રંગીલા રાજા ફિલ્મમાં 20 સીન કાપવા પડશે તે ન્યૂઝ આવ્યા બાદ પહલાજ નિહલાનીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને મદદ માટે અપીલ કરી છે.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

નિહલાની અગાઉ સેન્સરશિપના મુદ્દે વિવાદમાં રહી ચૂક્યા છે


પહલાજ નિહલાની અગાઉ બી ગ્રેડ ફિલ્મો કરી ચૂક્યા છે અને સેન્સર બોર્ડના અધ્યક્ષ હતા ત્યારે ઉડતા પંજાબ અને અન્ય ફિલ્મોને લઈને તેઓ ખૂબ જ વિવાદમાં રહ્યા હતા. હવે જ્યારે સેન્સર બોર્ડે પહલાજ નિહલાનીની આગામી ફિલ્મ રંગીલા રાજામાં કેટલાંક કટ આપવાનું કહ્યું છે ત્યારે આ મુદ્દે એક મીડીયા ગ્રૂપની સાથે વાત કરતા પહલાજ નિહલાનીએ કહ્યું કે મારી ફિલ્મ પર જે રીતે સેન્સર બોર્ડે પ્રતિક્રિયા આપી છે, તે નિરાશાજનક છે. હું એવી ફિલ્મો કરું છું કે જેમાં સેન્સરને કોઈ આપત્તિ હોય નહીં.

હાલ પ્રસૂન જોષી CBFCના અધ્યક્ષ છે


રંગીલા રાજા ફિલ્મ સાથે લગભગ 25 વર્ષ બાદ ગોવિંદા અને પહલાજ નિહલાની સાથે રૂપેરી પડદે પરત આવી રહ્યા છે. આ ફિલ્મને સેન્સર બોર્ડમાં 40થી વધારે દિવસ સુધી રોકી રાખવામાં આવી અને તે મુદ્દે પણ નિહલાનીએ દુશ્મની નિકાળી રહ્યા છે તેવી વાત કરી હતી. પહલાજ નિહલાનીએ સાથે તેવું પણ કહ્યું કે આમિર ખાન અને પ્રસૂન જોષી મિત્રો છે, માટે ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મને સેન્સર બોર્ડે તરત જ પાસ કરી દીધી. હાલ. સેન્સર બોર્ડના અધ્યક્ષ પદે પ્રસૂન જોષી છે.

No comments:

Pages