Latest

Monday, November 5, 2018

30 વર્ષનો થયો કોહલી, અનુષ્કા સાથે બર્થ-ડે સેલિબ્રેટ કરવા આ હિલ સ્ટેશને પહોંચ્યો

30 વર્ષનો થયો વિરાટ


હરિદ્વારઃ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી સોમવારે પોતાનો 30મો જન્મદિવસ ઉજવવા માટે ચોરીછૂપી ઉત્તરાખંડ પહોંચી ગયો છે. વિરાટના લગ્ન બાદ આ પહેલો જન્મદિવસ છે અને તેની ઉજવણી માટે તેણે નરેન્દ્રનગર નામના નાનાકડા એવા શહેરને પસંદ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે કોહલી અને અનુષ્કા જન્મદિવસના દિવસે અનુષ્કાના આધ્યાત્મિક ગુરુના આશ્રમમાં પણ જશે.

અનુષ્કા સાથે બર્થડે સેલિબ્રેટ કરવા હરિદ્વારમાં


જણાવી દઈએ કે કોહલીની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આધ્યાત્મિક ગુરુ અનંત બાબા પાટીને પોતાના ગુરુ માને છે. અનંત બાબા પાટીલ પાસે લગ્ન પહેલા વિરાટ અને અનુષ્કા આશીર્વાદ લેવા માટે ખાસ હરિદ્વાર સ્થિત તેમના આશ્રમ ગયા હતા કોહલીના ઉત્તરાખંડ જવાનું કારણ પણ માનવામાં આવી રહ્યું છે કે અનુષ્કા અને કોહલી આ ખાસ દિવસે બાબા અનંત પાટીલના આશીર્વાદ લેવા પહોંચશે.

ઉત્તરાખંડના પહાડોમાં મળે છે આધ્યાત્મિક શાંતિ


વર્કફ્રન્ટની વાત કરીએ તો આ સમયે અનુષ્કા પોતાની ફિલ્મ ઝીરોના પ્રમોશનમાં વ્યસ્ત છે. વિરાટ કોહલી સામે ઓસ્ટ્રેલિયા ટૂર અને પછી 2019નો વર્લ્ડકપ છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પોતાનો બર્થડે ઉજવ્યા બાદ અનુષ્કા અને વિરાટ દિવાળીના દિવસે મુંબઈ પહોંચી જશે. વિરાટ કોહલીને ઉત્તરાખંડના પહાડો ખૂબ જ પસંદ છે અને તેણે એક ટીવી ઈન્ટરવ્યૂમાં ત્યાં આધ્યાત્મિક શાંતિ મળવાની વાત કહી હતી.

હિમાલયના પહોડમાં છુપાયેલું સુંદર શહેર


ઉત્તરાખંડના પહોડીની સુંદરતા વચ્ચે છુપાયેલું આ નાનકડું એવું નરેન્દ્ર નગર સમુદ્ર સપાટીથી 1322 ફૂટની ઊંચાઈએ આવેલું છે. નરેન્દ્ર નગર હિમાલયના પહોડાની સુંદરતા અને હરિયાળી માટે જાણીતું છે. અહીંથી નિકટમાં ઋષિકેશ આવેલું છે.

નરેન્દ્ર નગરમાં જોવા લાયક સ્થળ


મુખ્યત્વે લોકોમાં આ સ્થળ આધ્યાત્મિક શાંતિ અને મેડિટેશન માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીં આવેલો રોલ પેલેસ નરેન્દ્ર નગરની આગવી ઓળખ છે.

No comments:

Pages