દેવ એકાદશી પર 19 નવેમ્બરના રોજ દેવ ઉઠશે

દેવ પ્રબોધિની એકાદશી પર 19 નવેમ્બરના રોજ દેવ ઉઠશે. મંદિરોમાં તુલસી સાલિગ્રામના લગ્ન કરાવવામાં આવશે. સામાન્યપણે દેવ ઉત્થાપની એકાદશીથી માંગલિક કાર્યોની શરૂઆત થતી હોય છે. પણ, આ વખતે ગ્રહ સ્થિતિના કારણે દેવ ઉઠી એકાદશી બાદ 58 દિવસ સુધી માંગલિક કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત નથી.
અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો
શુભ મુહૂર્ત 2019માં 17 જાન્યુઆરીથી શરૂ થશે

જ્યોતિષ અનુસાર વિવાહ, ગૃહ આરંભ, ગૃહ પ્રવેશ વગેરે માટે દોષ રહિત શુભ મુહૂર્ત હોવું જરૂરી છે. હવે આવું શુભ મુહૂર્ત નવા વર્ષ 2019માં 17 જાન્યુઆરીથી શરૂ થશે. જુલાઈ સુધી 7 મહિનામાં 45 શ્રેષ્ઠ મુહૂર્ત છે, જેમાં માંગલિક કાર્યો કરી શકાશે.
આ તારીખોમાં માંગલિક કાર્ય કરવું શુભ રહેશે

જાન્યુઆરી – તારીખ 17, 18, 22, 23, 25, 26, 29
ફેબ્રુઆરી – 8, 9, 10, 19, 21
માર્ચ – 8, 9, 10
એપ્રિલ – 15, 16, 17, 19, 20, 22
મે – 7, 12, 13, 14, 15, 17, 18, 19, 23, 28, 29, 30
જૂન – 8, 9, 10, 12, 15, 16, 24, 25
જુલાઈ – 7, 8, 10, 11
2019માં જાન્યુઆરીથી જુલાઈ સુધી 7 મહિનામાં 45 શ્રેષ્ઠ મુહૂર્ત

– 13 નવેમ્બરે મધ્યરાત્રિમાં ગુરુનો તારો અસ્ત થશે
– પ્રભાવ – ગુરુનો તારો અસ્ત થવાથી માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત નથી બની શકતું.
– 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં સૂર્ય, બુધ ગુરુનો ત્રિગ્રહી યુતિયોગ બની રહ્યો છે.
– 15 ડિસેમ્બરથી પુરુષોત્તમ મહિનો શરૂ
– પ્રભાવ – 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી પુરુષોત્તમ મહિનો રહેશે. જેમાં માંગલિક કાર્યોને વર્જિત માનવામાં આવ્યા છે.
– 15 માર્ચ મીન પુરુષોત્તમ મહિનો
– પ્રભાવ – 15 માર્ચથી 14 એપ્રિલ સુધી મીન પુરુષોત્તમ મહિનો રહેશે. જેમાં માંગલિક કાર્યો કરવા ઉચિત માનવામાં આવતા નથી.
No comments:
New comments are not allowed.