Latest

Sunday, November 11, 2018

કર્ણાટક: 600 કરોડના કૌભાંડમાં પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની ધરપકડ

બેંગલુરુ: લગભગ 600 કરોડના પોન્ઝી ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ કેસમાં આરોપોનો સામનો કરી રહેલા ભાજપના નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની બેંગલુરુ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. તેમની ઉપર મની લોન્ડ્રિંગ અને મુખ્ય આરોપીની રૂપિયાની ગેરકાયદેસર લેવડ-દેવડમાં મદદ કરવાનો આરોપ છે. તે ઉપરાંત તેમના સાથી મહફૂઝ અલી ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા રેડ્ડીએ તપાસ અધિકારી ડેપ્યુટ કમિશનર ઓફ પોલીસ (ડીસીબી) એસ ગિરીશને હટાવવાની માગ કરી હતી.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

રેડ્ડી શનિવારે એજન્સી સમક્ષ હાજર થયા હતા. ક્રાઈમ બ્રાન્ચ પહેલેથી જ રેડ્ડીની ધરપકડ કરવાનું વિચારી રાખ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચના સીપી આલોક કુમારે જણાવ્યું કે, વિશ્વાસપાત્ર પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધાર પર ધરપકડ કરવામાં આવી છે. રૂપિયાની રિકવરી થયા બાદ રોકાણકારોને આપવામાં આવશે.

ધરપકડ બાદ જનાર્દન રેડ્ડીને મેડિકલ તપાસ માટે લઈ જવાયા. ત્યાંથી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે તેમને 24 નવેમ્બર સુધી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં જાણવા મળ્યું હતું કે, રેડ્ડી અને ખાને એમ્બિડેન્ટ માર્કેટિંગમાં 18 કરોડ રૂપિયાની કિમતનું 57 કિલો સોનુ લીધું. આ સોનું ઈડીના અધિકારીઓ પાસેથી એમ્બિડેન્ટના પ્રમોટર સૈયદ અહમદ ફરીદને ‘ઢીલ’ આપવાના બદલામાં લેવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે રેડ્ડી અને ખાનને રવિવારે પૂછપરછની નોટિસ આપી હતી.

જે અધિકારી એસ ગિરિશને હટાવવાની જનાર્દને માગ કરી હતી તેમણે છેલ્લા 10 વર્ષમાં ઘણા દરોડા પાડ્યા છે અને નેતાઓની ધરપડ કરી છે. એટલું જ નહીં, સપ્ટેમ્બર 2011માં તેમણે પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા અને તેમના જમાઈના ઘર અને ઓફિસે રેડ કરી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OD5AFY

No comments:

Post a Comment

Pages